NARMADA : નર્મદા ડેમની જળસપાટીમાં 2 સેંટીમીટરનો ઘટાડો, હાલ ડેમની જળ સપાટી 116.43 મીટર
ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમના જળસ્તરમાં ઘટાડો થયો છે.
NARMADA: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 2 સેંટીમીટરનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટી 2 સેંટીમીટર ઘટી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 116.43 મીટર પર છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમના જળસ્તરમાં ઘટાડો થયો છે. આજે ડેમમાં 1987 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, તો સાથે 13041 ક્યુસેક પાણીની જાવક છે. હાલ ડેમાંમાં કુલ સ્ટોરેજ 4408.09 મિલિયન કયુબિક મીટર છે.