VADODARA: નવસારીની યુવતીના આપઘાત કેસમાં ઓએસીસ સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને સમન્સ

|

Dec 07, 2021 | 9:38 PM

ઉલ્લેખનીય છે કે, નવસારીની યુવતી પર દુષ્કર્મ-આપઘાત કેસની તપાસમાં FSLનો રિપોર્ટ આવ્યો છે. FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયુ હોવાનું અને શ્વાસ રુંધાવાથી મોત થયાનું FSL રિપોર્ટમાં બહાર આવ્યું છે. રેલવેના DySPએ જણાવ્યુ હતુ કે, યુવતીનું ગળેફાંસો ખાવાથી મોત થયું છે

વડોદરામાં રહેતી મૂળ નવસારીની યુવતીના આપઘાત અને દુષ્કર્મ કેસમાં ઓએસિસ સંસ્થા સામે ગુનો નોંધાયો છે.  વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે સંસ્થા સામે ગુનો નોંધ્યો છે. જે લોકો સામે ગુનો નોંધાયો છે. તેમાં ટ્રસ્ટી પ્રીતિ નાયર અને તેના પતિ સંજીવ શાહ અને વૈષ્ણવીનો સમાવેશ થાય છે. અને આ ત્રણેયને ક્રાઇમ બ્રાંચે સમન્સ મોકલ્યું છે.

સંસ્થા પર આરોપ છે કે તેમને દુષ્કર્મની ગંભીર ઘટના અંગે જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી નહોતી કરી અને ગુનાની જાણ હોવા છતાં માહિતી છૂપાવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બની હોવાની જાણ યુવતીએ ઓએસિસ સંસ્થાના ટ્રસ્ટ્રીઓ અને સંસ્થામાં કામ કરતી અન્ય છોકરીઓને કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નવસારીની યુવતી પર દુષ્કર્મ-આપઘાત કેસની તપાસમાં FSLનો રિપોર્ટ આવ્યો છે. FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયુ હોવાનું અને શ્વાસ રુંધાવાથી મોત થયાનું FSL રિપોર્ટમાં બહાર આવ્યું છે. રેલવેના DySPએ જણાવ્યુ હતુ કે, યુવતીનું ગળેફાંસો ખાવાથી મોત થયું છે અને અન્ય બીજા પણ રિપોર્ટ આવ્યા બાદ વધારે માહિતી સ્પષ્ટ થશે.

હાલ યુવતીની ડાયરીમાં લખ્યું હોવાથી અને યુવતીના હાથ, સાથળ અને ગુપ્ત ભાગની પાસે ઈજાના નિશાન હતા હોવાથી દુષ્કર્મની થિઅરી પર કામ શરૂ છે.. અને હજુ બીજા ઘણા બધા પુરાવાઓ મળી શકે તેમ છે. ત્યારે શંકાસ્પદ ઘણા લોકોની પૂછપરછ કરી તમામ એજન્સીઓ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : અમરાઈવાડીમાં હત્યા બાદ વસ્ત્રાલમાં ફાયરિંગ, ક્રાઇમ બ્રાંચે ગણતરી કલાકોમાં આરોપીને દબોચી લીધો

 

 

Next Video