ફૂલન દેવી સામેનો કેસ 41 વર્ષ પછી થયો સમાપ્ત, કોર્ટે આપ્યો આ આદેશ

|

Aug 04, 2021 | 4:50 PM

ભૂતપૂર્વ સાંસદ અને ચર્ચિત ડાકુ ફુલન દેવી સામે 41 વર્ષ જૂનો કેસ બંધ કરવાનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ફૂલન દેવી સામેનો કેસ 41 વર્ષ પછી થયો સમાપ્ત, કોર્ટે આપ્યો આ આદેશ
Phoolan Devi file photo

Follow us on

ભૂતપૂર્વ સાંસદ અને ચર્ચિત ડાકુ ફુલન દેવી (Phoolan Devi) સામે 41 વર્ષ જૂનો કેસ બંધ કરવાનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ભોગનીપુર કોતવાલીમાં 41 વર્ષ પહેલા લુંટ અને હત્યાના પ્રયાસ સાથે જોડાયેલા કેસના સંબંધમાં એન્ટી રોબરી કોર્ટના વિશેષ ન્યાયાધીશે મંગળવારે એક મહત્વનો નિર્ણય આપતા તે કેસને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

મદદનીશ સરકારી વકીલ આશિષ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, 25 જુલાઈ 1980ના રોજ ભોગીપુર કોતવાલીમાં ડાકુ સુંદરી ફૂલન દેવી, કલ્પીના શેરપુરમાં રહેતા વિક્રમ મલ્લાહ અને તેની ટોળકી સામે લૂંટ સંબંધી હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ કેસમાં સુનાવણી છેલ્લા 41 વર્ષથી ચાલી રહી હતી. આ કેસમાં અન્ય આરોપી ડાકૂ વિક્રમ મલ્લાહની પોલીસે 12 ઓગસ્ટ 1980ના રોજ એન્કાઉન્ટરમાં હત્યા કરી હતી. ત્યારબાદ તેની સામે ચાલી રહેલી સુનાવણી 4 સપ્ટેમ્બર 1998ના રોજ સમાપ્ત કરવામાં આવી હતી. જોકે ફૂલન દેવી શરણાગતિ બાદ સાંસદ બની હતી. 25મી જુલાઈ 2001ના રોજ દિલ્હીમાં શેર સિંહ રાણાએ ગોળી મારી હત્યા કરી હતી, પરંતુ પોલીસ હજુ પણ આ મૃત્યુની પુષ્ટિ કરી શકી નથી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

હવે આવ્યું ફૂલન દેવીનું ડેથ સર્ટિફિકેટ

ADGCએ કહ્યું કે, હવે શેરપુર ગુઢા ગામના વડા પાસેથી ફૂલનનું મૃત્યુનું પ્રમાણપત્ર, પોલીસ રિપોર્ટ અને ભોગનીપુર કોતવાલીના એડવોકેટ અને અન્ય પુરાવા ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેના પર કોર્ટે ફૂલન સામે ચાલી રહેલા કેસને સમાપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.

ખૂબ જ પ્રખ્યાત બેહમાઇ કેસની સુનાવણી આજે એન્ટી રોબરી કોર્ટમાં થશે. તે જાણીતું છે કે, 14 ફેબ્રુઆરી 1981ના રોજ ફૂલન દેવીની ગેંગે બેહમાઈ ગામમાં હુમલો કરીને 20 લોકોની હત્યા કરી હતી. આ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી રાજારામ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. જેની ટ્રાયલ સ્પેશિયલ જજ ડાકુ અસરગ્રસ્ત સુધાકર રાયની કોર્ટમાં ચાલી રહી છે. કોર્ટે આરોપીને 4 ઓગસ્ટના રોજ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

Published On - 4:47 pm, Wed, 4 August 21

Next Article