Shraddha Murder Case : આફતાબ વિરુદ્ધ 6629 પાનાની ચાર્જશીટની કોર્ટે લીધી નોંધ, 21 ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી

|

Feb 07, 2023 | 2:40 PM

24 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબ વિરુદ્ધ 6629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 302, 201 લગાવી છે. દિલ્હી પોલીસે તેની તપાસના 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

Shraddha Murder Case : આફતાબ વિરુદ્ધ 6629 પાનાની ચાર્જશીટની કોર્ટે લીધી નોંધ, 21 ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી
Shraddha (file photo)

Follow us on

શ્રદ્ધા મર્ડર કેસમાં સાકેત કોર્ટે આરોપી આફતાબ પૂનાવાલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. દિલ્હીની સાકેત કોર્ટે મંગળવારે શ્રદ્ધા વોકરની હત્યાના મામલામાં આફતાબ અમીન પૂનાવાલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી આફતાબને ચાર્જશીટની કોપી આપવામાં આવી હતી. સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લાએ ચાર્જશીટની નોંધ લીધી હતી. કોર્ટ હવે 21 ફેબ્રુઆરીએ ચાર્જશીટની ચકાસણી પર કેસની સુનાવણી કરશે.

સુનાવણી દરમિયાન આફતાબને કોર્ટમાં રૂબરુ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન મીડિયાને કોર્ટ રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને ઈન કેમેરા કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લી સુનાવણી દરમિયાન આરોપી આફતાબને ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થયા બાદ તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને આફતાબે કોર્ટને કહ્યું હતું કે તે તેના વકીલ એમ એસ ખાનને બદલવા માંગે છે.

પોલીસે 90 દિવસમાં દાખલ કરી ચાર્જશીટ

અત્રે ઉલ્લેખનીય છે કે 24 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબ વિરુદ્ધ 6629 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 302, 201 લગાવી છે. દિલ્હી પોલીસે તેની તપાસના 90 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. તપાસ દરમિયાન, દિલ્હી પોલીસે આફતાબ વિરુદ્ધ આરોપો સ્થાપિત કરવા માટે નાર્કો એનાલિસિસ ટેસ્ટ, પોલીગ્રાફ ટેસ્ટ અને ડીએનએ પુરાવા એકત્રિત કર્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આફતાબની જામીન અરજી ફગાવી દેવાઈ

આફતાબ પર મે 2022માં મહેરૌલી વિસ્તારમાં તેના લિવ-ઈન પાર્ટનરનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. કથિત રીતે ગળું દબાવીને હત્યા કર્યા બાદ આફતાબે કથિત રીતે મૃતક શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. અગાઉ, સાકેત કોર્ટે આફતાબ પૂનાવાલાની જામીન અરજી ફગાવી દીધી હતી.

 

 

 

Next Article