દાહોદ : નકલી કચેરીના કેસમાં ચોંકાવનારા ખુલાસા, પૂર્વ IAS અધિકારીની સંડોવણી આવી સામે

|

Nov 29, 2023 | 7:55 PM

પૂર્વ IASએ સત્તાના જોરે કાગળ પર 6 કચેરીઓ ઉભી કરીને માત્ર 4 વર્ષમાં 18.59 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો હતો. આ ઉપરાંત સરકારી નોકરીના અંતિમ દિવસે નિનામાએ 8 કલાકમાં 10 કરોડના 46 કામોને એક ઝાટકે મંજૂરી આપી દીધી હતી. આરોપો સાબિત થતાં પૂર્વ IASની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદ : નકલી કચેરીના કેસમાં ચોંકાવનારા ખુલાસા, પૂર્વ IAS અધિકારીની સંડોવણી આવી સામે
Dahod fake office

Follow us on

દાહોદના નકલી કચેરીના અસલી કૌભાંડ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પૂછપરછમાં, પૂર્વ IAS બી.ડી.નિનામાની સંડોવણી સામે આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે નિનામાએ સત્તાના જોરે કાગળ પર 6 કચેરીઓ ઉભી કરીને માત્ર 4 વર્ષમાં 18.59 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો હતો.

આ ઉપરાંત સરકારી નોકરીના અંતિમ દિવસે નિનામાએ 8 કલાકમાં 10 કરોડના 46 કામોને એક ઝાટકે મંજૂરી આપી દીધી હતી. આરોપો સાબિત થતાં પૂર્વ IAS નિનામાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કૌભાંડી પૂર્વ IAS બી.ડી.નિનામા વર્ષ 2013ની બેચના પૂર્વ IAS અધિકારી છે. નિનામા વર્ગ-3ના કર્મચારી તરીકે ગુજરાત સરકારમાં જોડાયા હતા. GAS તરીકે બઢતી મળ્યા બાદ તેમને પ્રમોશન આપીને IAS બનાવાયા હતા અને વર્ષ 2019થી દાહોદ ખાતે પ્રાયોજન અધિકારી પદે નિમણૂક મળી હતી. તો પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ડિસેમ્બર 2022 સુધી સેવા આપ્યા બાદ તાજેતરમાં જ તેઓએ VRS લીધુ હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

નિનામાની તપાસમાં સામે આવ્યું છે કે, નિનામાએ પોતાની સત્તાનો દૂરૂપયોગ કરીને રૂ.18.59 કરોડોના કૌભાંડને અંજામ આપ્યો હતો, પ્રાપ્ત વિગતો મુજબ 100 સરકારી કામોમાંથી 82 કામોને નિનામાએ જ મંજૂરી આપી હતી. 82માંથી 10 કરોડના 46 કામો એવા હતા. જેને માત્ર 8 કલાકમાં જ નિનામાએ મંજૂરીની મહોર મારી દીધી હતી. આ તમામ કામો કાગળ પર બનાવાયેલી કચેરીઓના નામે મંજૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો દાહોદ : નકલી સરકારી કચેરીમાં અધિકારીઓની પણ સંડોવણી આવી શકે છે બહાર, કૌભાંડી સંદીપની પૂછપરછમાં થયા મહત્વના ખુલાસા

હાલ નિનામા 6 દિવસના રિમાન્ડ પર છે. અધિકારીઓને શંકા છે કે કૌભાંડના તાર અન્ય શહેરોમાં પણ જોડાયેલા હોઇ શકે છે. તેથી તપાસનો ધમધમાટ અન્ય શહેરો સુધી લંબાઇ શકે છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:48 pm, Wed, 29 November 23

Next Article