મોરબી ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે આપ્યા જામીન

મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ઝુલતા પુલ કેસના કુલ 6 આરોપીને જામીન મળ્યા છે.

મોરબી ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે આપ્યા જામીન
morbi bridge collapse
| Edited By: | Updated on: Nov 03, 2023 | 6:20 PM

મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ઝુલતા પુલ કેસના કુલ 6 આરોપીને જામીન મળ્યા છે. 3 સુરક્ષાકર્મી, 2 કલાર્ક અને 1 મેનેજરને હાઇકોર્ટે જામીન મુક્ત કર્યા છે. ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબી પુલ દુર્ઘટનાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ઘટનામાં જે કંપનીને ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તે ઓરેવા કંપનીના માલિક આરોપી જયસુખ પટેલ હાલ જેલમાં છે. કેટલાક દિવસ પહેલા જ આ કેસમાં સરકારે હાઈકોર્ટમાં SITનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં દુર્ઘટના માટે ઓરેવા કંપનીને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી હતી.

આ કેસના આરોપી અને ઓરેવા કંપની સંચાલક જયસુખ ભલોડિયાએ પણ જામીન અરજી કરી છે. નિયમિત જામીન અરજી સાથે હંગામી જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. તો ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિજનોએ જામીન ન આપવા કોર્ટમાં રજૂઆત કરી છે. માત્ર નાણાકીય સહાય નહીં, પરંતુ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી માટે પીડિતોએ રજૂઆત કરી છે.

આ પણ વાંચો મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટના : ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી દરમિયાન SITએ પણ રિપોર્ટ દાખલ કર્યો છે. SITના રિપોર્ટમાં આ ઘટના પાછળ ઓરેવા કંપની સંચાલકોની બેદરકારી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:56 pm, Fri, 3 November 23