હિના પેથાણી હત્યા કેસ,આરોપી સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે

|

Oct 11, 2021 | 9:16 AM

આરોપી સચિન વિરૂદ્ધ જીવિત બાળક તરછોડવાની કલમ IPC 317 અને અપહરણની કલમ IPC 365 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હિના પેથાણી હત્યા કેસ,આરોપી સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે
Hina Pethani murder case accused Sachin Dixit will be taken to court at noon (File Photo)

Follow us on

હિના પેથાણી(Hina pethani) હત્યા કેસનાઆરોપી સચિન દીક્ષિતને(Sachin Dixit) 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે. તેમજ ગાંધીનગર પોલીસ(Gandhinagar Police) દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જેમાં આરોપી સચિન વિરૂદ્ધ જીવિત બાળક તરછોડવાની કલમ IPC 317 અને અપહરણની કલમ IPC 365 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે આરોપી સચીનના  DNA સેમ્પલ લેવામાં આવશે.

તેમજ સચિન અને શિવાંશના DNA સેમ્પલ મેચ થઈ જશે તો IPC 365 કલમ નીકળી જશે. જો કે આરોપી સચિન પેથાપુર ગૌશાળા પંચનામું કરવા લઇ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શિવાંશના પિતા સચિન દીક્ષિતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. શિવાંશને તરછોડ્યા પહલે સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરામાં ગળું ડબાવીને હત્યા કરી નાખી હતી. શિવાંશની માતા મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

શિવાંશની માતા મહેંદીની હત્યાના કેસ (Mehndi murder case)માં આખરે હત્યારા સચિન (Sachin Dixit) સામે ગુનો નોધવામાં આવ્યો છે. ગાંધીનગર SOG પી.આઈ. પવારે ફરિયાદી બની સચિન દીક્ષિત વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ હત્યાકેસની તપાસ બપોદ પી.આઈ. કરશે. વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે.

ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે.કોર્ટ રિમાન્ડ આપશે તો ગાંધીનગર પોલીસ તપાસ કરશે.જો રિમાન્ડ નહિ મળે તો વડોદરા પોલીસને મહેંદી હત્યા કેસમાં સચિનને સોંપવામાં આવશે.

મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો છે. મહેંદીમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી.સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી.વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

આ પણ વાંચો : Dholera એરપોર્ટનું કામ જાન્યુઆરી માસથી પુરજોશમાં શરૂ કરાશે, વર્ષ 2024 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 

આ પણ વાંચો : Surat : સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્ટેલનું વડાપ્રધાન મોદીનાં હસ્તે ભૂમિ પૂજન કરાશે

 

 

Published On - 8:39 am, Mon, 11 October 21

Next Article