Banaskantha : યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો, સામુહિક દુષ્કર્મ થતા મોતને વ્હાલું કર્યું

|

Sep 03, 2021 | 1:29 PM

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં યુવતીએ કરેલા આપઘાત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ યુવતી પર સામુહિક દુષ્કર્મ થતા આપઘાત કર્યું હોવાનું બહાર આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં યુવતીએ કરેલા આપઘાત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ યુવતી પર સામુહિક દુષ્કર્મ થતા આપઘાત કર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસની તપાસમાં યુવતીના મોબાઈલમાંથી રેકોર્ડિંગ મળી આવતા આ મોટો ખુલાસો સામે આવ્યો છે. ત્રણ શખ્સોએ બ્લેકમેલ કરીને 4 મહિનામાં અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

શું ખુલ્યું આપઘાત કેસમાં ? કેમ યુવતીએ કર્યો આપઘાત ?

નોંધનીય છેકે બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારતા યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનું ખુલ્યું છે. યુવતીની અંતિમક્રિયા બાદ મોબાઈલ રેકોર્ડીંગ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ત્રણ શખ્સો દ્વારા ચાર મહિનાથી બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ ગુજારી મરવા મજબૂર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. મૃતદેહને બહાર કાઢી એફએસએલ, મામલતદાર અને પોલીસની હાજરીમાં ફરી પેનલ પી.એમ. કરાશે. પાંથાવાડા પોલીસે માનસિક ત્રાસ અને બ્લેકમેલીંગ કરતાં ત્રણે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ તો આ ઘટનાને લઇને જિલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડયું છે. અને, આ નરાધમો આરોપીઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. અને, આ નરાધમોની પોલીસ જલ્દી ધરપકડ કરે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

 

આ પણ વાંચો : Crime: એન્જિનિયરની અંધશ્રદ્ધા ! તંત્ર-મંત્ર અને મેલી વિદ્યા થયાની શંકા કરી વૃદ્ધ પર કર્યો ખૂની હુમલો

 

 

Published On - 1:27 pm, Fri, 3 September 21

Next Video