અમદાવાદ : ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા, હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી

|

Jan 23, 2022 | 6:27 PM

વટવામાં કુતબેઆલ્મ રો હાઉસમાં આજે વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવ્યો. જેમાં એક મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળતા વટવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલાની ગળાના ભાગે બ્લેડ મારી તેના જ પતિ હત્યા કરી ફરાર થઇ ગયો છે.

અમદાવાદ : ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા, હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી
AHMEDABAD: Police have arrested the husband of a murdered wife in a domestic dispute (આરોપી ફોટો)

Follow us on

અમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાં ઘરેલું હિંસામાં પત્નીની હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો. જેમાં પત્નીની હત્યા કરનાર પતિની વટવા પોલીસે (POLICE) ગણતરીના કલાકોમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જોકે, હત્યા કરી પતિ ફરાર થયો હતો. પરંતુ, પોલીસની અગમચેતી અને આગવી સુઝને કારણે હત્યારો ઝડપાઇ ગયો છે. અને, પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ઘરેલું હિંસામાં પત્નીને મળ્યું મોત, હત્યારો પતિ ગણતરીની કલાકોમાં પોલીસની ગિરફ્તમાં

બનાવમાં એમ છે કે વટવામાં કુતબેઆલ્મ રો હાઉસમાં આજે વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવ્યો. જેમાં એક મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળતા વટવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલાની ગળાના ભાગે બ્લેડ મારી તેના જ પતિ હત્યા કરી ફરાર થઇ ગયો છે. જે ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી.

પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક મહિલા તોફિયાબાનું અને જુનેદખાન પઠાણના લગ્ન 2013માં થયા હતા. જેમના 10 વર્ષના લગ્ન ગાળામાં તેઓને બે સંતાન પણ છે. જે પતિ પત્ની વચ્ચે ચાર દિવસ પહેલા કોઈ બાબતે ઝગડો થતા મહિલા તેના પિયર જતી રહી હતી. જોકે પતિ તેને ગત રોજ મનાવીને પરત ઘરે લઈ આવ્યો હતો. જોકે બાદમાં ફરી બોલાચાલી થતા પતિ જુનેદખાન પઠાણે તેની પત્ની તોફિયાબાનું જ્યારે બાથરૂમમાં હતી ત્યારે તેના ગળામાં ભાગે બ્લેડ મારી હત્યા કરી નાખી. અને પતિ ફરાર થઇ ગયો. જે ઘટનામાં પોલીસને આશંકા છે પત્ની પર શંકા રાખી પતિએ હત્યા કરી હોઇ શકે છે જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હાલ તો ગણતરીના કલાકોમાં પોલીસે હત્યાના ગુનામાં આરોપી પતિને પકડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. પણ જો આરોપી ફરાર થઇ ગયો હોત તો કદાચ પોલીસને તેને પકડવામાં ઘણા દિવસો લાગી ગયા હોત. જોકે પોલીસની સતર્કતાને લઈને આરોપી પતિને પકડવામાં સફળતા રહી અને ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો.

આ પણ વાંચો : દ્વારકાધીશનું મંદિર સોમવારથી ફરી ખુલશે, કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરી શકાશે

આ પણ વાંચો : મહેસાણા : બે યુવાનોએ કૃમિ ખાતરના ઉત્પાદનમાં કાઠું કાઢ્યું, જાણો આ યુવકોની સિદ્ધિ ગાથા

Next Article