Ahmedabad: અમદાવાદના સોલા (Sola) વિસ્તારમાં બે દિવસ પૂર્વે વૃદ્ધ દંપત્તિની ઘાતકી હત્યા કરી હતી. આ કેસમાં Ahmedabad પોલીસ અને ક્રાઈમ બ્રાંચ હત્યારાઓને પકડવા આકાશ પાતાળ એક કરી રહીએ છે. આ હત્યા કેસમાં હવે મહત્વના પુરાવા સામે આવ્યા છે, જેના આધારે ચાર રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ વૃદ્ધ દંપત્તિના ઘરે થોડા સમય અગાઉ ફર્નિચર અને કલરકામ થયું હતું, જેથી Ahmedabad પોલીસને આશંકા છે કે આ કામના મજુરોએ હત્યા કરી હોય શકે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ પણ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે હત્યારાઓની ઓળખ થઈ ગઈ છે અને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહીત ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: સતત ચોથા દિવસે રાજ્યમાં 500થી વધુ નવા કેસ નોંધાયા