Ahmedabad: અસામાજિક તત્વોએ મચાવ્યો આંતક, નિર્દોષ લોકો પર હુમલો કરી વાહનોમાં કરી તોડફોડ

Ahmedabad: ફરી એક વખત અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે અને નિર્દોશ લોકો પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad: અસામાજિક તત્વોએ મચાવ્યો આંતક, નિર્દોષ લોકો પર હુમલો કરી વાહનોમાં કરી તોડફોડ
Jamalpur CCTV Capture
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 24, 2021 | 7:30 PM

Ahmedabad: શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે અને નિર્દોષ લોકો પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી છે. ખાનપુરના માથાભારે શખ્શોએ Jamalpur વિસ્તારમાં રાતે 2 વાગે હુમલો કરી 3 લોકોને ઈજા કરી તો 4 જેટલા વાહનોને નુકશાન પહોંચાડ્યુ છે. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે 7 લોકોની શોધખોળ હાથ ધરી છે.

Jamalpur અસામાજિક તત્વોનો આતંક

Jamalpur અસામાજિક તત્વોનો આતંક

રાતના બે વાગ્યાના CCTVના દ્રશ્યો મુજબ જેમાં 5 જેટલા વાહનો પર 7 થી વધુ આરોપી જમાલપુરના રૂકન પુરામાં આવે છે. અને વાહનોને તોડફોડ કરવા લાગે છે. ઉપરાંત આ વાતનો વિરોધ કરનાર લોકો ને પણ હથિયારો વડે માર પણ માર્યો. મહત્વનુ છે કે હુમલો કરનાર તમામ આરોપી ખાનપુરના અસામાજિક તત્વો છે. જેમાંથી એક શમશેરખાન પઠાણ અને ફઈમ સહિત 7 જેટલા આરોપીએ અચાનક હથિયાર વડે હુમલો કર્યો હતો.જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તમામ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">