Omicron Wave : ચીનમાં ઓમિક્રોન વેવથી ભારત એલર્ટ, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, સાવચેત રહેવા કરી તાકીદ

|

Mar 18, 2022 | 11:16 AM

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે વિશ્વના અન્ય ઘણા દેશોમાં કોરોનાની નવી લહેરને જોતા સતર્ક રહેવું જરૂરી છે. ચીન સહિત. તેમણે લોકોને સતત સંવેદનશીલતા રાખવાની સલાહ પણ આપી હતી.

Omicron Wave : ચીનમાં ઓમિક્રોન વેવથી ભારત એલર્ટ, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, સાવચેત રહેવા કરી તાકીદ
Omicron wave in China

Follow us on

ચીન (China) અને દક્ષિણપૂર્વ એશિયા તેમજ યુરોપના કેટલાક દેશોમાં કોવિડ-19 (Covid-19) મહામારીની નવી લહેરને જોતા ભારત સરકાર પણ સાવધ બની છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ (Union Health Secretary) રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવોને પત્ર લખીને ચેતવણી આપી છે. પત્રમાં ભૂષણે કહ્યું છે કે કોઈપણ રાજ્યના વહીવટીતંત્રે એ વિચારીને બેદરકાર ન રહેવું જોઈએ કે હવે નવા કોરોના કેસોની સંખ્યા ચિંતાજનક નથી. પોતાના પત્રમાં ભૂષણે બધાને એલર્ટ રહેવા સાથે, પાંચ બાબતોનું ધ્યાન રાખવાનું કહ્યું છે. આમાં ટેસ્ટ, ટ્રૅક, ટ્રીટ, રસીકરણ અને COVID-19ને નિયંત્રણમાં લેવા માટેનો સમાવેશ થાય છે.

કેન્દ્ર રાજ્યોને એલર્ટ કરે છે

પત્ર દ્વારા કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઈન્સાકેગ નેટવર્ક પર પૂરતા પ્રમાણમાં સેમ્પલ મોકલવાનું ચાલુ રાખવાની સૂચના આપી છે. જેથી કરીને નવા કોરોના વેરિયન્ટને સમયસર શોધી શકાય. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ-પૂર્વ એશિયા અને યુરોપના કેટલાક દેશોમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. આ કારણોસર, આરોગ્ય પ્રધાને ગત 16 માર્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જીનોમ સિક્વન્સિંગ પર જોરશોરથી કામ કરવું જોઈએ, તેમજ કોવિડ -19 ની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવી જોઈએ. હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે ટેસ્ટ, ટ્રૅક, ટ્રીટ, રસીકરણ અને COVID-19ને નિયંત્રણમાં લેવા માટે અનુકુળ વાતાવરણ સર્જવુ જોઈશે.

લોકોને પણ સજાગ રહેવાની સલાહ

કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યોએ લોકોને કોવિડ વિરોધી રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખવું જોઈએ. ઉપરાંત, લોકોને ચહેરા પર માસ્ક પહેરવાનું રાખવા માટે જણાવવુ જોઈએ. જાહેર સ્થળો અથવા ભીડમાં એકબીજાથી શારીરિક અંતર જાળવવા અને સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવા સાવચેત કરવા. પત્રમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે 25 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોમાંથી આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાનું સૂચન કર્યું હતું, કોરોનાને નિયંત્રણમાં લેવા જાહેર કરાયેલા માર્ગદર્શિકાને હળવી કરવી, પરંતુ તકેદારી સાથે બિલકુલ સમાધાન ન થવું જોઈએ.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ પણ વાંચોઃ

શુ સ્ટીલ્થ ઓમિક્રોન વેરિયન્ટથી આવશે કોરોનાની ચોથી લહેર ? ચીનમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો કેટલો જોખમી છે વેરિયન્ટ

આ પણ વાંચોઃ

Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,539 કેસ, 60 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધુ

 

 

Next Article