ચીનમાં ખડકાશે લાશના ઢગલા, નિષ્ણાંતોએ ઉચ્ચારી ચેતવણી, આગામી 3 મહિનામાં આવશે કોરોનાની નવી લહેર

|

Dec 21, 2022 | 5:49 PM

ચીનના નિષ્ણાતોના મતે, શિયાળાના ત્રણ મહિનામાં કોરોનાના વધુ વિસ્ફોટ સર્જાશે. આગામી ત્રણ મહિનામાં કોરોનાની વધુ એક લહેરની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

ચીનમાં ખડકાશે લાશના ઢગલા, નિષ્ણાંતોએ ઉચ્ચારી ચેતવણી, આગામી 3 મહિનામાં આવશે કોરોનાની નવી લહેર
corona virus in china (file photo)

Follow us on

ચીનમાં ફરી માથુ ઉચકી રહેલા કોરોનાને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ચીનમાંથી જે સમાચાર સામે આવી રહ્યાં છે તે ચોકાવનારા છે. સમગ્ર ચીનમાં કોરોનાની લહેર પ્રસરી ચુકી છે. આગામી દિવસોમાં ચીનમાં ઠેર ઠેર લાશના ઢગલા જોવા મળે તો નવાઈ નહી તેમ નિષ્ણાંતો માની રહ્યાં છે. કોરોનાના વધી રહેલા કેસને કારણે ચીનમાં હાલ ચિંતાનો માહોલ સર્જાયો છે. અનેકના મોત સર્જાઈ રહ્યાં છે, છતા ચીન કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના આકડાઓ જાહેર નથી કરતું. ચીનમાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી પરંતુ તે પોલિસી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. કોરોનાના ફેલાઈ રહેલા સંક્રમણને કારણે નિષ્ણાતો નવી એક લહેરની આગાહી કરી રહ્યાં છે.

ચીનના નિષ્ણાતોના મતે, શિયાળાના ત્રણ મહિનામાં કોરોનાના વધુ વિસ્ફોટ સર્જાશે. આગામી ત્રણ મહિનામાં કોરોનાની વધુ એક લહેરની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આવી સ્થિતિમાં, તેમણે લોકોને વધુ સાવચેત રહેવા અને સંક્રમણથી બચવાની સલાહ આપી છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીફ એપિડેમિયોલોજિસ્ટ વુ જુનિયોએ કહ્યું કે, કોરોનાનો વર્તમાન પ્રકોપ આ શિયાળામાં ટોચ પર પહોંચશે અને વધુ એક લહેર આવશે.

કોરોનાની લહેર જાન્યુઆરીથી શરૂ થશે

વુ જુનિયોના જણાવ્યાનુસાર, પ્રથમ લહેર હવે જાન્યુઆરીના મધ્ય સુધી રહેશે. આ પછી તરત જ બીજી લહેર પણ શરૂ થશે. વુ જુનિયો કહે છે કે લાખો લોકોની સામૂહિક યાત્રાને કારણે આવું થવાની સંભાવના છે. મુખ્ય મહામારીના નિષ્ણાત જુનિયોએ વધુમાં કહ્યું કે ચીનમાં કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંત સુધીમાં આવશે. જે માર્ચના મધ્ય સુધી ચાલશે. ચીનમાં કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ પણ મળી રહ્યાં નથી. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ચીનમાં લાખોના મોતની આશંકા

ચીનમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર આવનારા સમયમાં લાખો લોકોના કોરોનાથી મૃત્યુ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ચીનમાં રસીકરણમાં મોટો ઘટાડો થયો છે. દેશમાં માત્ર 38 ટકા વસ્તીને જ કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. 65 વર્ષથી ઉપરના માત્ર 10 ટકા લોકોનુ જ રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે, 80 વર્ષથી વધુ ઉંમરના માત્ર 50 ટકા લોકોને જ વેક્સિન આપવામાં આવી છે. ચીનમાં જે હોસ્પિટલ છે તેમા 1000 દર્દીઓ દીઠ 6 બેડની સંખ્યા છે.

 

Next Article