બિલ ગેટ્સે PM મોદીની કામગીરી વખાણી, 200 કરોડ કોવિડ-19 રસીકરણ માટે મોદીને આપ્યા અભિનંદન

|

Jul 20, 2022 | 7:20 AM

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડરે બુધવારે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને 200 કરોડ રસીકરણના વધુ એક માઈલસ્ટોન માટે અભિનંદન આપ્યા હતા. કોવિડ-19ની અસરને ઓછી કરવા માટે અમે ભારતીય રસી ઉત્પાદકો અને ભારત સરકાર સાથેની અમારી સતત ભાગીદારી માટે આભારી છીએ.

બિલ ગેટ્સે PM મોદીની કામગીરી વખાણી, 200 કરોડ કોવિડ-19 રસીકરણ માટે મોદીને આપ્યા અભિનંદન
PM Modi and Bill Gates

Follow us on

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે (Bill Gates) ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણની સિદ્ધિ બદલ PM નરેન્દ્ર મોદીને (PM Modi) અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય કે ભારત પોતાની વસ્તીને બે અબજથી વધુ ડોઝ આપનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે. અત્યાર સુધી, ભારત કરતાં ચીનમાં કોરોના રસીના વધુ ડોઝ આપવામાં આવ્યા છે. બિલ ગેટ્સે ટ્વિટ કરીને કહ્યુ કે, કોવિડ-19ની અસરને ઘટાડવા માટે ભારતીય રસી ઉત્પાદકો અને સરકાર સાથે સતત ભાગીદારી બદલ આભાર. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકએ બુધવારે ટ્વીટ કર્યું, “200 કરોડ રસીકરણના બીજા માઇલસ્ટોન પર નરેન્દ્ર મોદીને અભિનંદન. અમે કોવિડ-19ની અસરને ઓછી કરવા માટે ભારતીય રસી ઉત્પાદકો અને ભારત સરકાર સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીએ છીએ. બદલ આભારી છીએ.”

વિશ્વની સૌથી મોટી COVID-19 રસીકરણ ઝુંબેશ શરૂ થયાના એક વર્ષ પછી, ભારતે રવિવારે રસીકરણના 200 મિલિયન ડોઝ પહોંચાડવાનું સીમાચિહ્ન પાર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. “ભારતે ફરી ઈતિહાસ રચ્યો! 200 કરોડ રસીના ડોઝના વિશેષ આંકને પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન. ભારતના રોગપ્રતિકારક અભિયાનને સ્કેલ અને ઝડપે અજોડ બનાવવામાં ફાળો આપનારાઓ પર ગર્વ છે. કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈ મજબૂત થઈ છે.

માંડવિયાએ ‘કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ’નો પ્રારંભ કર્યો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-19 રસીકરણ કવરેજ કુલ 200.33 કરોડને વટાવી ગયું છે. માંડવિયાએ ગત શુક્રવારે નિર્માણ ભવનના કોવિડ રસીકરણ કેમ્પમાં ‘કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ’ની શરૂઆત કરાવી હતી અને લોકોને કોવિડ-19થી રક્ષણ સુનિશ્ચિત કરવા માટે નિશુલ્ક કોરોના વિરોધી રસીના ડોઝ મેળવવા અપીલ કરી. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને મારી અપીલ છે કે, COVID-19 સામે તમારું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરાયેલ વ્યવસ્થાનો લાભ લઈને નિશુલ્ક ડોઝ મેળવો.

Next Article