
વર્ષ 2018માં UPSC પરીક્ષામાં સફળતા મેળવી અને ઓલ ઈન્ડિયામાં 386મો રેન્ક મેળવીને આઈએએસ બનવાનું સપનું પૂર્ણ કર્યુ. અનુપમાને UPSC ક્લિયર કર્યા બાદ આંધ્રપ્રદેશ કેડર મળ્યું હતું અને તેમની પ્રથમ પોસ્ટિંગ ગુંટૂર જિલ્લાના જોઈન્ટ કલેક્ટર તરીકે થઈ.

UPSCની તૈયારી કરનારા લોકોને આઈએએસ ઓફિસર અનુપમા અંજલી ઘણી સલાહ આપે છે. તે કહે છે કે પોતાને મોટિવેટ કરતા રહેવું ખુબ જરૂરી છે. ભણતર હંમેશા નિયમિત રીતે કરો. થોડા કલાકના અભ્યાસ બાદ બ્રેક લો અને પોતાના માટે એક શેડ્યુલ નક્કી કરીને રાખો.

UPSCની પરીક્ષામાં મગજની બુદ્ધિ કરતાં વધુ ભાવનાત્મક બુદ્ધિની કસોટી થાય છે. આ પરીક્ષામાં માત્ર સેલ્ફ મોટિવેશન કામ આવે છે. આઈએએસ અનુપમા અંજલીનું માનવું છે કે તમારૂ શેડ્યુલ ગમે તે એટલું વ્યસ્ત હોય, પોતાના માટે થોડો સમય જરૂર કાઢો. સાથે જ તે ઉમેદવારોને યોગ કરવાની પણ સલાહ આપે છે.