UPSC Interview Questions: એડવોકેટ અને લોયર વચ્ચે શું તફાવત છે? જાણો આવા જ પ્રશ્નો અને તેના જવાબો

|

Nov 04, 2021 | 5:43 PM

અહીં અમે એવા કેટલાક પ્રશ્નો વિશે જણાવીશું જે ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં વારંવાર પૂછવામાં આવે છે.

UPSC Interview Questions: એડવોકેટ અને લોયર વચ્ચે શું તફાવત છે? જાણો આવા જ પ્રશ્નો અને તેના જવાબો
UPSC

Follow us on

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (Union Public Service Commission) સિવિલ સર્વિસ પરીક્ષાનો સૌથી મુશ્કેલ તબક્કો ઇન્ટરવ્યુ છે. આ જ કારણ છે કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુમાં નાપાસ થાય છે અને પૂર્વ અને મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી છોડી દે છે. ઇન્ટરવ્યુની તૈયારી કરવા માટે, લોકો મૉક ઇન્ટરવ્યુ જુએ છે કારણ કે, તેનાથી તેમને ખ્યાલ આવે છે કે ઇન્ટરવ્યુ કેવો હોય છે.

UPSC ઈન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછવાની રીત એવી છે કે વ્યક્તિનું મન ભટકે છે, અહીં તમારે ખૂબ જ સમજી વિચારીને જવાબ આપવાની જરૂર છે. અહીં અમે એવા કેટલાક પ્રશ્નો વિશે જણાવીશું જે ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં વારંવાર પૂછવામાં આવે છે.

પ્રશ્ન 1- રોબોટિક્સનું ભવિષ્ય શું છે? શું એવો સમય આવશે જ્યારે રોબોટ્સ માણસોનું સ્થાન લેશે?
જવાબ- આ સવાલનો જવાબ આપતી વખતે એક ઉમેદવારે કહ્યું હતું કે, રોબોટિક્સ અને માણસનું થિંકિંગ ઈમોશનલી અલગ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પ્રશ્ન 2- એવું કયું પ્રાણી છે જે ઘાયલ થવા પર માણસોની જેમ રડે છે?
જવાબ: રીંછ.

પ્રશ્ન 3- વકીલો માત્ર કાળા રંગનો જ કોટ કેમ પહેરે છે?
જવાબ- કાળો કોટ શિસ્ત અને આત્મવિશ્વાસ દર્શાવે છે.

પ્રશ્ન 3- એડવોકેટ અને લોયર વચ્ચે શું તફાવત છે?
જવાબ- Lawyer એ છે કે જેની પાસે કાયદાની ડિગ્રી હોય, પરંતુ તેને કોઈપણ કોર્ટમાં કેસ લડવાની પરવાનગી ન હોય. લડવા માટે, વકીલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પરીક્ષા પાસ કરવી પડે છે અને લાઇસન્સ મેળવવું પડે છે, ત્યારબાદ તે વકીલ બને છે. એડવોકેટ એવી વ્યક્તિ છે કે જેની પાસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું લાઇસન્સ હોય. વકલત્નામા અનુસાર, તે ભારતની કોઈપણ કોર્ટમાં કેસ લડી શકે છે.

પ્રશ્ન- 5. વિશ્વમાં સિન્થેટિક રબરનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ છે?
જવાબ- યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા સિન્થેટિક રબરનું સૌથી મોટું ઉત્પાદક માનવામાં આવે છે.

પ્રશ્ન- 6. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી?
જવાબ- ઈન્દિરા ગાંધી.

પ્રશ્ન- 7. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે?
જવાબ- રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ એ ધરતીકંપના તરંગોની તીવ્રતા માપવા માટેનું ગાણિતિક સ્કેલ છે.

પ્રશ્ન- 8. બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી?
જવાબ- 61મો સુધારો.

પ્રશ્ન- 9. કયા સંતે સૌપ્રથમ હિન્દીનો ઉપયોગ તેમના સંદેશાના પ્રચાર માટે કર્યો?
જવાબ- રામાનંદ.

પ્રશ્ન- 10. ભારતના કયા રાજ્યોમાં ઉર્દૂને બીજી ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે?
જવાબ- બિહાર અને ઉત્તર પ્રદેશ.

 

આ પણ વાંચો: Uttar Pradesh: દિવાળી બાદ યુપીમાં મબલક ભરતી, હજારો બેરોજગારો માટે ખુલશે રોજગારી દ્વાર

આ પણ વાંચો:  એન્જિનિયરિંગ સ્નાતકો માટે ભારત સરકારમાં નોકરી મેળવવાની તક, જાણો ભરતીની સમગ્ર વિગતો

Next Article