Nelson Mandela Day: આજે નેલ્સન મંડેલાની (Nelson Mandela) જન્મજયંતિ છે. નેલ્સન મંડેલાને આફ્રિકાના ‘ગાંધી’ કહેવામાં આવે છે. વિશ્વવ્યાપી શાંતિના રાજદૂત તરીકે જાણીતા, રંગભેદ સામેની લડતમાં નેલ્સન મંડેલાના યોગદાનને ભૂલી શકાય નહીં. ગાંધીની જેમ, મંડેલા પણ એક એવી વ્યક્તિ હતા જેમણે અહિંસાના માર્ગ પર ચાલ્યા. મંડેલાએ રંગભેદ સામે લડતા 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા.
શાંતિ માટે નોબેલ પુરસ્કાર મેળવનારા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાની જન્મજયંતિની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની (Nelson Mandela International Day) ઉજવણી કરવામાં આવે છે. તેનો નિર્ણય 18 જુલાઈ 2010 ના રોજ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય એક એવા મહાન વ્યક્તિના (Nelson Mandela) સન્માન માટે લેવામાં આવ્યો હતો જેમણે સામાન્ય લોકોની ભલાઈ માટે જ નહીં, પરંતુ તેની તેમણે કિંમત પણ ચૂકવી હતી.
1944 માં આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા પછી, નેલ્સન મંડેલાએ રંગભેદ સામે આંદોલન શરૂ કર્યું. તે જ વર્ષે, તેમણે તેમના મિત્રો અને સાથીઓ સાથે આફ્રિકન નેશનલ કોંગ્રેસ યુથ લીગની (African National Congress Youth League) સ્થાપના કરી. 1947 માં, તેઓ લીગના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા.
1961 માં, મંડેલા અને તેમના કેટલાક મિત્રો પર દેશદ્રોહ માટે કેસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ તેમાં નિર્દોષ જાહેર થયા. 5 August, 1962 ના રોજ, તેમને કામદારોને હડતાલ માટે ઉશ્કેરવા અને પરવાનગી વિના દેશ છોડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 1964 માં તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. રંગભેદ અને અન્યાય સામે લડત માટે 1964 થી 1990 સુધી, તેમણે જીવનના 27 વર્ષ જેલમાં પસાર કરવા પડ્યાં. તેને રોબબેન આઇલેન્ડની જેલમાં રાખવામાં આવ્યા હતા.
જ્યાં તેમણે કોલસાની ખાણમાં મજૂર તરીકે કામ કરવું પડ્યું હતું. આ દરમિયાન તેમણે ગુપ્ત રીતે પોતાની જીવનચરિત્ર લખી હતી. જેલમાં લખાયેલું તેમનું જીવનચરિત્ર 1994 માં ‘લોંગ વોક ટૂ ફ્રીડમ’ (Long Walk to Freedom) નામના પુસ્તકના રૂપમાં પ્રકાશિત થયું હતું.
જેલમાં 27 વર્ષ વિતાવ્યા બાદ 11 ફેબ્રુઆરી 1990 ના રોજ તેમને છૂટા કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી સમજૂતી અને શાંતિની નીતિ દ્વારા, તેમણે લોકશાહી અને વિવિધતાવાળા આફ્રિકાનો પાયો નાખ્યો. 1994 માં, દક્ષિણ આફ્રિકામાં બિન-રંગભેદની ચૂંટણી યોજાઇ હતી. આફ્રિકન નેશનલ કોંગ્રેસને 62 ટકા મતો મળ્યા અને બહુમતીથી તેમની સરકાર બનાવી. 10 મે 1994 ના રોજ, મંડેલા તેમના દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા.