IAF Agniveer : ભારતીય વાયુસેનામાં જોડાવાનું સપનું જોઈ રહેલા યુવાનોને જણાવવામાં આવે છે કે તેમની પાસે તેમનું સપનું પૂરું કરવાની તક છે. વાસ્તવમાં ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુ તરીકે એરફોર્સમાં જોડાવા માટે અપરિણીત ભારતીય પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગી છે. IAF Agniveervayu Recruitment 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 17 માર્ચથી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં યુવાનોને જણાવી દઈએ કે તેઓ વહેલી તકે અપ્લાય કરે.
આ પણ વાંચો : અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે 17 માર્ચથી કરી શકાશે અરજી, આ ડિગ્રી વિના નહીં કરી શકો અપ્લાય
ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર યોગ્ય અને રસ ધરાવતા યુવાનો ઓફિશિયલ વેબસાઇટ www.agnipathvayu.cdac પર જઈને 31 માર્ચ સુધીમાં નોકરી માટે અપ્લાય કરી શકશે. એરફોર્સમાં અગ્નિવીર બનવાનું સપનું જોતા યુવાનોને જણાવવામાં આવે છે કે રજીસ્ટ્રેશન બાદ તેમને પરીક્ષામાં બેસવાનું રહેશે. અગ્નિવીરવાયુ ભરતી પરીક્ષા 20મી મેના રોજ લેવામાં આવશે. ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન પણ ચકાસી શકાય છે.
IAF Agniveervayu Recruitment 2023 Official Notification
ઉંમર મર્યાદા : ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ માટે અરજી કરનાર યુવકનો જન્મ 26 ડિસેમ્બર 2002 થી 26 જન્મ 2006 ની વચ્ચે હોવો જોઈએ.
અરજી ફી : અગ્નિવીરવાયુ અરજી ફોર્મ ભરવા માટે રૂપિયા 250 પરીક્ષા ફી તરીકે ચૂકવવાના રહેશે. આ સિવાય અન્ય કોઈ ફી ભરવાની નથી.
ઉમેદવારોને કહેવામાં આવે છે કે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તેઓએ તેમનો આધાર નંબર પણ દાખલ કરવો પડશે. જમ્મુ-કાશ્મીર, આસામ અને મેઘાલયના યુવાનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.