Board Exams 2022: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા લેવી પડશે કોવિડ વેક્સિન, ICSEએ જાહેર કરી નોટિસ

|

Jan 05, 2022 | 6:27 PM

બોર્ડની પરીક્ષાઓ 2022 બે મહિનામાં શરૂ થવાની છે અને ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોરોનાની ત્રીજી લહેર પણ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશભરના કરોડો બાળકો અને માતા-પિતાના મનમાં ડર છે.

Board Exams 2022: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા લેવી પડશે કોવિડ વેક્સિન, ICSEએ જાહેર કરી નોટિસ
Nurse giving vaccine to teenagers at a school (Photo - PTI)

Follow us on

ICSE Board 2022 Corona Vaccine latest update: બોર્ડની પરીક્ષાઓ 2022 બે મહિનામાં શરૂ થવાની છે અને ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોરોનાની ત્રીજી લહેર પણ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશભરના કરોડો બાળકો અને માતા-પિતાના મનમાં ડર છે. જો કે, 15 થી 18 વર્ષની વયના બાળકો માટે બાળ કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ દિશામાં ICSE બોર્ડે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે, જેમાં તમામ બોર્ડના વિદ્યાર્થીઓ માટે કોરોના રસી ફરજિયાત બનાવવામાં આવી છે.

કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) એ તેની વેબસાઈટ cisce.org પર નોટિસ જાહેર કરી છે. તે જણાવે છે કે ’10મા ધોરણના ICSE (ICSE Board Exam 2022) અને ધોરણ 12 એટલે કે ISC પરીક્ષા 2022ના વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેઓ કોવિડ રસી લે તે જરૂરી છે. જેથી તેઓ ઘરેથી શાળાએ જવાનું ચાલુ રાખી શકે, વર્ગોમાં હાજરી આપી શકે, પ્રાયોગિક કાર્ય પૂર્ણ કરી શકે અને 2022 માં સેમેસ્ટર 2 બોર્ડની પરીક્ષા આપી શકે.

ICSE બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી ગેરી અરાથૂન ICSE દ્વારા બહાર પાડવામાં આવેલી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘CISCE બોર્ડે તમામ શાળાના આચાર્યોને સલાહ આપી છે કે, 15 થી 18 વર્ષની વયના બાળકોના માતા-પિતાએ તેમને રસી આપવી જોઈએ. તે મેળવવા માટે પ્રોત્સાહિત કરો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

03 જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ થયું

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Health Ministry) દ્વારા 27 ડિસેમ્બર 2021ના રોજ બાળકોને રસી આપવા અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ હેઠળ, 15 થી 18 વર્ષની વય જૂથના તમામ બાળકો હવે કોરોના રસી લઈ શકશે. બાળકો માટે આ રસીકરણ અભિયાન 03 જાન્યુઆરી 2022 થી શરૂ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, CBSE બોર્ડ સહિત અન્ય રાજ્યની બોર્ડની શાળાઓમાં બાળકોને રસી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ખાનગી શાળાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ICSE બોર્ડની કોવિડ રસીની સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો: Career Tips: માર્કેટિંગ મેનેજરની ભારતમાં છે ખૂબ માંગ, ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પછી કરો આ કોર્સ

આ પણ વાંચો: IIT JAM admit card: IIT JAM એડમિટ કાર્ડ આજે નહીં થાય જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે કરવું ડાઉનલોડ

Published On - 6:14 pm, Wed, 5 January 22

Next Article