ભારતીય નૌસેનામાં અગ્નિવીર SSR/MR 01/23 માટે ઓનલાઇન અરજી ફોર્મ સબમિટ કરવાની તારીખ લંબાવી છે. અગ્નિવીર તરીકે નૌકાદળમાં જોડાવા માટે ઉમેદવારો હવે 28 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ હજુ સુધી નૌકાદળમાં ભરતી માટે અરજી કરી નથી, તેમને અગ્નિવીર બનવાની તક છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો ભારતીય નૌકાદળની ઓફિશિયલ વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
નૌસેનામાં આ ભરતી અભિયાન હેઠળ કુલ 1500 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આમાંથી, અગ્નિવીર (SSR) – 01/2023 બેચ માટે 1400 પોસ્ટ્સ અને અગ્નિવીર (MR) – 01/2023 બેચ માટે 100 પોસ્ટ્સ નિયુક્ત કરવામાં આવશે. અગ્નિવીર (SSR)ની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે અગ્નિવીર (MR)ની 100 જગ્યાઓમાંથી 20 પોસ્ટ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. નેવીમાં અગ્નિવીરની ભરતી 8 ડિસેમ્બરે શરૂ થઈ હતી.
ઓફિશિયલ નોટિફિકેશન સૂચના અનુસાર આ ભરતી અભિયાન હેઠળ ફક્ત અપરિણીત ઉમેદવારોની જ નિમણૂક કરવામાં આવશે. ભારતીય નૌકાદળ દ્વારા શેર કરવામાં આવેલી નોકરીની જાહેરાત અનુસાર, અગ્નિવીરોને ચાર વર્ષના સમયગાળા માટે નેવી એક્ટ 1957 હેઠળ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર અગ્નિવીર તરીકે ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. તેમાં પ્રથમ તબક્કા હેઠળ શોર્ટલિસ્ટિંગ (કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા) અને બીજા તબક્કા હેઠળ લેખિત પરીક્ષા, પીએફટી અને મેડિકલનો સમાવેશ થાય છે. આ સિવાય ઉમેદવારોએ અંતિમ ભરતી માટે મેડિકલ તપાસ કરાવવી પડશે.
અગ્નિવીર તરીકે ભરતી થયેલા ઉમેદવારોને દર મહિને 30,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. ઉમેદવારોના પગારમાં પણ દર વર્ષે વધારો કરવામાં આવશે. આ સિવાય સેવા દરમિયાન થયેલા અન્ય ખર્ચાઓ પણ ચૂકવવામાં આવશે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે, અગ્નિવીર તરીકે ભરતી થયા પછી, તેમને તેમની મરજીથી સેવામાંથી દૂર કરવામાં આવશે નહીં. અગ્નિવીરોને ચાર વર્ષની સેવા બાદ નિવૃત્ત કરવામાં આવશે. જો કે, તેમાંથી 25 ટકા અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે.