
પંજાબ નેશનલ બેંકના ફિક્સ્ડ ડિપોઝિટ કરનારાઓને મોટી ઑફર્સ આપી રહી છે. તાજેતરમાં બેંકે તેની સૌથી વધુ વ્યાજ દર યોજના રજૂ કરી છે. નવા વર્ષમાં પણ આ સરકારી બેંકે સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં વધારો કર્યો હતો. PNB સતત તેની એક ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમને રસપ્રદ રીતે પ્રમોટ કરી રહ્યું છે અને રોકાણ પર વાર્ષિક 8 ટકાથી વધુના વળતર ઓફર કરી રહ્યું છે. PNBની આ ફિક્સ ડિપોઝિટ સ્કીમનું નામ ‘666 Days FD’ છે.
Your wait for the best investment is over.
Get attractive rate of interest with 666 Days FD Scheme.
For more info visit: https://t.co/p7cuHn37VD#FixedDeposit #Savings #BestROI #Investment #DigitalBanking pic.twitter.com/Zn1cTA8YzT
— Punjab National Bank (@pnbindia) January 7, 2023
PNBએ ટ્વિટ કરીને લખ્યું- ‘શ્રેષ્ઠ રોકાણ કારો તમારો રાહ પૂરી થઈ ગઈ છે. 666 દિવસના FD પ્લાન સાથે આકર્ષક વ્યાજ દર મેળવો. તમે PNB વન એપ, ઈન્ટરનેટ બેન્કિંગથી આ યોજનામાં રોકાણ માટે અરજી કરી શકો છો. વધુ વિગતો માટે, તમે નજીકની શાખાની મુલાકાત પણ લઈ શકો છો.
પંજાબ નેશનલ બેંકએ 666 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર 8.10 ટકાના દરે વ્યાજ ઓફર કરી છે. PNBએ આ સ્કીમ ક્રિસમસ દરમિયાન શરૂ કરી હતી. 2023માં બેંકે તેમાં રોકાણ કરવાની તક આપી છે. હવે બેંક ફરી એકવાર ગ્રાહકોને આ સ્કીમમાં રોકાણ કરવાની તક આપી રહી છે. PNB સામાન્ય લોકોને 666 દિવસની ફિક્સ ડિપોઝિટ પર 7.25 ટકાના દરે વાર્ષિક વળતર આપી રહી છે. PNB વરિષ્ઠ નાગરિકોને FD પર વધારાનું 0.50 ટકા વ્યાજ આપે છે. પરંતુ ટ્વિટ કરીને, બેંક હાલમાં 666-દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર 8.10 ટકાના દરે વ્યાજ આપવાનું વચન આપી રહી છે. આ અંગે વધુ માહિતી માટે તમે શાખાનો સંપર્ક કરી શકો છો.
પહેલા બેંકે 600 દિવસની FD યોજના શરૂ કરી હતી. બેંક 600 દિવસ માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.85 ટકાના દરે વ્યાજ ઓફર કરતી હતી. પંજાબ નેશનલ બેંક હાલમાં 7 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય લોકોને 3.50 ટકાથી 6.10 ટકાના દરે વ્યાજ આપી રહી છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકો માટે સમાન સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 4 ટકાથી 6.90 ટકા છે અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકો માટે 4.30 ટકાથી 6.90 ટકા છે.