પાવર અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં અમેરિકાનું રોકાણ વધશે, સરકાર બનાવી રહી છે એક ખાસ યોજના

|

Aug 14, 2021 | 9:24 PM

કેન્દ્રીય મંત્રી આર કે સિંહે અમેરિકન રોકાણકારોને ભારતમાં રિન્યુએબલ એનર્જી અને પાવર સેક્ટરમાં રોકાણની તકો શોધવા માટે આમંત્રણ આપ્યું છે.

પાવર અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં અમેરિકાનું રોકાણ વધશે, સરકાર બનાવી રહી છે એક ખાસ યોજના
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કેન્દ્રીય મંત્રી આર કે સિંહે અમેરિકન રોકાણકારોને ભારતમાં રિન્યુએબલ એનર્જી અને પાવર સેક્ટરમાં (renewable energy and power sector) રોકાણની તકો શોધવા માટે આમંત્રણ આપ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમેરિકન રોકાણકારો સાથેની વાતચીતમાં સિંહે તેમને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું.

તેમણે વ્યાપારિક સમુદાય સાથેની મુલાકાત દરમિયાન આ ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ બેઠકમાં વ્યાપારી સમુદાયને ભારતમાં નવીનીકરણીય ઉર્જા અને પાવર ક્ષેત્રના વિવિધ પાસાઓ અને વૈશ્વિક રોકાણકારો માટે ઉપલબ્ધ તકો અંગે કેન્દ્રીય મંત્રી સાથે વાતચીત કરવાની તક પૂરી પાડી હતી, એમ પાવર મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે.

US-India Business Council (USIBC)ના સભ્યો સાથે સિંઘની બેઠકનો વિષય જળવાયુ પરિવર્તનને ઘટાડવા અને ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ક્લીનર, વધુ ટકાઉ અને સસ્તું ઉર્જાને પ્રોત્સાહન આપવાનો હતો. નિવેદનમાં જણાવ્યા અનુસાર, અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોના 50 થી વધુ ઉદ્યોગપતિઓએ માહિતી ટેકનોલોજી, માળખાગત વિકાસકર્તાઓ, નવીનીકરણીય ઉર્જા ઉત્પાદકો, બેંકિંગ, ઉડ્ડયન સહિત આ બેઠકમાં ભાગ લીધો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

2030 સુધીમાં 450 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય

ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યું છે કે, ભારત 2030 સુધીમાં 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાના લક્ષ્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં વીજળી વિતરણ અને વીજળી ગ્રિડમાં ખુલ્લી પહોંચને પ્રોત્સાહન આપવાને કારણે દેશમાં નવીનીકરણીય ઉર્જા વપરાશ વધવાની ધારણા છે. તેમણે નવીનીકરણીય ઉર્જા, ઉર્જા કાર્યક્ષમતા, ઉત્સર્જનમાં ઘટાડો વગેરેનો ઉલ્લેખ કર્યો અને આ સાથે તેમણે રોકાણકારોને આમાં યોગદાન આપવા અપીલ કરી.

તેમણે રોકાણકારોને એમ પણ કહ્યું કે. ભારત સરકારે દેશમાં સોલાર સેલ મોડ્યુલો અને બેટરી વગેરેના ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI સ્કીમ) શરૂ કરી છે. આ સાથે, ગ્રીન હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.

તેમણે યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના નેતાઓને વિનંતી કરી કે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને વેગ આપવાની રીતો સૂચવે જેથી ભારત સરકાર 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનના 450 ગીગાવોટનો લક્ષ્યાંક હાંસલ કરી શકે.

 

Next Article