
Stock Tips : શેરબજારની જાણીતી બ્રોકરેજ કંપનીઓમાંની એક ICICI ડાયરેક્ટે દેશની દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) અને Divi’s Laboratories Ltd નો સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માટે રૂપિયા 2529નો સ્ટોપલોસ પણ સેટ કર્યો છે. તે જ સમયે 2579 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. શુક્રવારે ભારતીય શેરબજારનો કારોબાર પૂર્ણ કર્યો ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર(RIL Share Price) 2,575.40 ઉપર જોવા મળ્યો હતો. આ સમયે સ્ટોકમાં 23.85 રૂપિયા અથવા 2,754.70 રૂપિયા જયારે આ સમયગાળાની નીચલી સપાટી 2,180.00 રૂપિયા છે. Divi’s Laboratories Ltd ના શેર માટે પણ સારી કમાણીની તક હોવાનો અંદાજ છે. જોકે અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે શેરબજારમાં રોકાણ સાથે જોખમ જોપડાયેલું છે માટે રોકાણ પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.
બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ છે કારણ કે સ્ટોક તેના 20-દિવસના EMAથી વધુ ઊંચું બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. આ પછી ભાવ કોન્સોલિડેશન રેન્જની બહાર જતા સત્રમાં તેજીનો સંકેત આપે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. જેમાં કંપનીએ ટેક્સ ચૂકવ્યા બાદ લગભગ રૂ. 21296 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ એકીકૃત કુલ આવક તરીકે રૂ. 219294 કરોડનું બુકિંગ કર્યું છે. જે છેલ્લા ક્વાર્ટરની કુલ આવક કરતાં 1.99 ટકા ઓછી છે.
બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં તેનો બિઝનેસ કરતી Divi’s Laboratories પર ખરીદીની ભલામણ કરી છે. બ્રોકરેજે Divi’s Laboratories સ્ટોક પર રૂ. 3519નો સ્ટોપલોસ આપ્યો છે. બ્રોકરેજ ફર્મે ટાર્ગેટ પ્રાઇસ તરીકે રૂ. 3579 આપ્યા છે.
Divi’s Laboratories ના સ્ટોકમાં રોકાણ કરવાનું કારણ એ છે કે સ્ટોક કોન્સોલિડેશન પછી ભાવ રિકવર થવા લાગ્યો છે. ઉપરાંત, 13 દિવસના EMA ઉપર રહેવું એ સૂચવે છે કે સ્ટોકમાં અપટ્રેન્ડ છે.
Divi’s Laboratories તાજેતરમાં ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. જેમાં કંપનીએ કોન્સોલિડેશન કુલ આવક તરીકે રૂ. 2016.92 કરોડનું બુકિંગ કર્યું છે. જે છેલ્લા ક્વાર્ટરની કુલ આવક કરતાં 10.70 ટકા વધુ છે. ટેક્સ ચૂકવ્યા પછી, કંપનીએ રૂ. 320.97 કરોડનું બુકિંગ કર્યું છે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.