2 / 6
સુત્રોના હવાલાથી આ સમાચાર પ્રાપ્ત થયા છે કે આ ડીલ લગભગ રૂ. 5,888.57 કરોડની હોઈ શકે છે. ઉપરાંત, હિસ્સો ખરીદ્યા પછી, અદાણી જૂથ કંપનીના લઘુમતી શેરધારકો માટે ઓપન ઓફર પણ કરી શકે છે. આ એક્વિઝિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અદાણી ગ્રુપની સિવિલ એન્જિનિયરિંગ ક્ષમતાઓને મજબૂત કરવાનો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો આ અઠવાડિયાની શરૂઆતમાં સમજૂતી પર પહોંચી ગયા છે, અને ટૂંક સમયમાં આ સોદાની ઔપચારિક જાહેરાત થઈ શકે છે.