સતત ઘટતા FD વ્યાજની ચિંતામાંથી છુટકારો અપાવશે કિસાન વિકાસ પત્ર છે , જાણો શું છે સ્કીમના લાભ

મોટાભાગની બેંકોએ તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર  વ્યાજમાં ઘટાડો કર્યો છે. વ્યાજ ઉપર જીવન નિર્વાહનો આધાર રાખતા રોકાણકારો બેંકોના આ પગલાંથી મૂંઝવણમાં મુકાયા છે. વ્યાજની રકમ ઘર ચલાવવા મોટો આધાર રાખતી હોય તેવા સંજોગોમાં વધારે રિટર્ન માટે રુપિયાનું રોકાણ ક્યાં કરવું તે મૂંઝવણ અનુભવી રહ્યા છે. સમસ્યાનો હલ  પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર -KVP બચત સ્કીમ […]

સતત ઘટતા FD વ્યાજની ચિંતામાંથી છુટકારો અપાવશે કિસાન વિકાસ પત્ર છે , જાણો શું છે સ્કીમના લાભ
| Edited By: | Updated on: Nov 14, 2020 | 11:30 AM
મોટાભાગની બેંકોએ તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર  વ્યાજમાં ઘટાડો કર્યો છે. વ્યાજ ઉપર જીવન નિર્વાહનો આધાર રાખતા રોકાણકારો બેંકોના આ પગલાંથી મૂંઝવણમાં મુકાયા છે. વ્યાજની રકમ ઘર ચલાવવા મોટો આધાર રાખતી હોય તેવા સંજોગોમાં વધારે રિટર્ન માટે રુપિયાનું રોકાણ ક્યાં કરવું તે મૂંઝવણ અનુભવી રહ્યા છે. સમસ્યાનો હલ  પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર -KVP બચત સ્કીમ આપી શકે છે. હાલના બેન્ક FD ના વ્યાજ કરતા વધુ વળતર આપતી આ સ્કીમ શું છે તે આ અહેવાલમાં અમે આપણે જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વાર્ષિક 6.9 વ્યાજનું વળતર
KVP એ  ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ હોય છે, આ સર્ટિફિકેટમાં કોઈપણ રોકાણ કરી શકે છે. સર્ટિફિકેટ બોન્ડ સમાન છે જેના પર  નક્કી વ્યાજ મળે છે. આ સર્ટિફિકેટ  દેશભરની કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છેજેના ઉપર હાલમાં વાર્ષિક  6.9% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

રોકાણ માટે કોઈ મર્યાદા નહિ
કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાની મહત્તમ મર્યાદા નથી પણ લઘુત્તમ રોકાણ મર્યાદા રખાઈ છે. સ્કીમમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપિયા હોવું જોઈએ.  100 રૂપિયાના મલ્ટીપલમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકાય છે.

પ્રમાણપત્ર ટ્રાન્સફર કરી શકાય છે
આ પ્રમાણપત્રની એક સારી બાબત એ છે કે  એક વ્યક્તિથી બીજી વ્યક્તિને આ પ્રમાણપત્ર ટ્રાન્સફર કરી શકાય છે.  એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. દેશની કેટલીક બેંકોમાંથી ઓનલાઇન પણ ખરીદી શકાય છે. KVP ભેટ આપવા માટે પણ સારો વિકલ્પ મનાય છે.

માત્ર અઢી વર્ષનો લોક ઇન પિરિયડ
જો રોકકળ તેના દ્વારા કરાયેલું  રોકાણ ઉપાડવા માગતા હોય તો ઓછી અઢી વર્ષ (30 મહિના)બાદ ઉપાડી શકે છે.સ્કીમનો  માટે  અઢી વર્ષનો લોક ઇન પિરિયડ રાખવામાં આવ્યો છે. KVP  જોઈન્ટ અકાઉન્ટ ખોલવાની સુવિધા પણ મળે છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.

૧૦ વર્ષે રૂપિયા ડબલ
કિસાન વિકાસ પત્રમાં રોકાણ વર્તમાન વ્યાજ દર 6.9%ના અનુસાર અંદાજે 10 વર્ષ અને 4 મહિના (124 મહિના)માં રુપિયા ડબલ થઈ શકે છે.હાલના સમયમાં રોકાણનો આ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
કિસાન વિકાસ પત્રમાં પણ સતત વ્યાજદરમાં ઘટાડો નોંધાયો છે જોકે તે હાલમાં FD વ્યાજદર કરતાતો સારીજ છે.
નાણાકીય વર્ષ     વ્યાજ૨૦૧૭                   7.8%
૨૦૧૮                   7.6%
૨૦૧૯                  7.3%
૨૦૨૦                  7.7%
૨૦૨૧                 6.9%

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો