
Mutual Fund : તમારે કરોડપતિ (Crorepati) બનવું હોય તો તમારુ આ સપનું પૂરું કરવું એટલું મુશ્કેલ નથી. આ માટે યોગ્ય રોકાણ વ્યૂહરચના, નિશ્ચય અને ધ્યેય જરૂરી છે. આ માટે તમારે વધારે કઇ કરવાની જરૂર નથી, તમારે દિવસમાં માત્ર બે કપ ચા પીવાની ઓછી કરવી પડશે. આપણે બધા જાણીએ છીએ કે ચા સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો કરે જ છે, સાથે જ તમારા ખર્ચ પણ વધારે છે. સામાન્ય રીતે ચા પ્રેમીઓ દિવસમાં સરેરાશ બે-ત્રણ વાર ચા પીવે છે અને તેના પર ઓછામાં ઓછા 20થી 30 રૂપિયા ખર્ચે છે. માત્ર આ 20-30 રૂપિયા બચાવીને (Saving) તમે કરોડપતિ બની શકો છો.
આ પણ વાંચો- Vadodara: શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, જુઓ Video
મોટાભાગના લોકો ખાસ કરીને ગુજરાતમાં તો લોકોના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી થાય છે અને કેટલાક લોકો એવા પણ હોય છે જે દિવસમાં એક કે બે વાર નહીં, પરંતુ ઘણી વખત ચા પીવે છે. આવી સ્થિતિમાં ચા છોડવી મુશ્કેલ છે, પરંતુ તે અશક્ય નથી. આ વસ્તુને છોડીને સમૃદ્ધ બની શકો છો. સાથે જ તમારા સ્વાસ્થ્યને પણ સુધારી શકો છો.આ માટે નિશ્ચય અને સંકલ્પશક્તિની જરૂર છે.
દિવસમાં માત્ર બે કપ ચા છોડીને અથવા રોજના 20 રૂપિયાની બચત કરીને તમે કરોડપતિ બની શકો છે. આ માટે એક ખાસ ફોર્મ્યુલા છે. જો તમે રોજના બે ચાના રૂપિયા બચાવો છો તો આ રકમ મહિને 600 રૂપિયા થઈ જાય છે. તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરીને તમે કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશો. આ માટે તમારે આ રકમ દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવુ પડશે. મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળાના રોકાણમાં જબરદસ્ત વળતર આપે છે. આ વળતર 15 થી 20 ટકા હોઈ શકે છે.
તમે બે ચાના પૈસાથી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) કરી શકો છો. જો 20 વર્ષનો યુવક દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં 600 રૂપિયાની રકમ SIP કરે છે. પછી આ રકમ 480 મહિના અથવા 40 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે, તો તમારી કુલ રકમ 2,88,000 રૂપિયા જમા થશે. જો આપણે આ સમયગાળા દરમિયાન 15 ટકા વળતર જોઈએ, તો એકત્રિત રકમ 1,88,42,253 રૂપિયા થશે. હવે જો આપણે SIPમાં 20 ટકા રિટર્નના આધારે જોઈએ તો તમારી રકમ 10,18,16,777 રૂપિયા થશે.
મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મળે છે.તમારા દ્વારા કરવામાં આવેલુ નાનું રોકાણ પણ લાંબા ગાળે મોટું ફંડ બની જાય છે. કરોડપતિ બનવાની આ ફોર્મ્યુલા અસરકારક છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં ઘણું જોખમ છે, શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલથી તમારા રોકાણને પણ અસર થાય છે. તમારે રોકાણ શરૂ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)