
પાન-આધાર લિંક કરવા(Pan-Aadhar Linking)ની અંતિમ તારીખ આજે પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં જો કરદાતાઓ આજની સમયમર્યાદા ચૂકી જાય તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કરદાતાઓને પણ ITR ફાઇલ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કારણ કે જે લોકો પાન-આધાર લિંક કરવાની સમયમર્યાદા ચૂકી ગયા છે તેમના પાન કાર્ડ 1 જુલાઈથી નિષ્ક્રિય થઈ જશે. પરંતુ કરદાતાઓ માટે પાન-આધાર લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ નિષ્ક્રિય PAN એક્ટિવેટ કરવા માટે કરદાતાઓએ 1000 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે.
આ પણ વાંચો : Sensex Today: શેરબજારનો પાવરફુલ પંચ, સેન્સેક્સ 64000ના આંકને વટાવી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો
કેટલાક નિષ્ણાતો માને છે કે પાન-આધાર લિંક કરવાની સમયમર્યાદા વધુ લંબાવી શકાય છે. પરંતુ સરકાર આવી જરૂરિયાતને કેવી રીતે જુએ છે તેના પર નિર્ભર રહેશે. ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, એવું માનવામાં આવે છે કે ઘણા લોકોને ટેક્સ ભરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
SAG ઇન્ફોટેકના મેનેજિંગ ડિરેક્ટર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકારે કરદાતાઓ માટે પાન-આધાર લિંક કરવાની સમયમર્યાદા લંબાવવા પર વિચાર કરવો જોઈએ. જેથી કરદાતાઓ સમયસર ITR ફાઇલ કરવાની સાથે પાન કાર્ડનો ઉપયોગ કરી શકે.
Published On - 3:11 pm, Fri, 30 June 23