PAN Aadhaar Link : ઘણા સમયથી સરકાર દ્વારા લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે PAN અને Aadhaar ને લિંક કરવાની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં જો સરકારના આ નિર્ણય હેઠળ PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સત્તાવાર છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. આ માટે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ થવાથી અનલિંક PAN નિષ્ક્રિય થઈ જશે. જેમણે હજુ સુધી તેમના પાન કાર્ડને તેમના આધાર સાથે લિંક નથી કરાવ્યું તેઓએ છેલ્લી તારીખ નજીક હોવાથી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ. દરેક વ્યક્તિએ 31મી માર્ચ સુધીમાં યોગ્ય રીતે પગલાં પૂર્ણ કરવા જરૂરી છે. દરેક વ્યક્તિએ લેટેસ્ટ ઘોષણાઓ પર ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો : Adani: મુન્દ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને કરી હેન્ડલ
એ નોંધવું અગત્યનું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય, તો વ્યક્તિએ IT એક્ટ હેઠળ તમામ પરિણામોનો સામનો કરવો પડે છે. તેમને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી છેલ્લી તારીખ એટલે કે માર્ચ 31, 2023 ની અંદર બંને ID ને લિંક કરવું વધુ સારું રહેશે.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આવકવેરા કાયદાની જોગવાઈઓ જણાવે છે કે તમામ વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. દરેક વ્યક્તિએ નવીનતમ ઘોષણાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં તો તમારે ઉપર જણાવેલ સમસ્યાઓનો સામનો કરવો પડશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:18 am, Tue, 28 March 23