હવે SBI ના ATM માંથી પૈસા ઉપાડવા મોબાઈલ સાથે રાખવો પડશે, જાણો શું છે કારણ?

|

Oct 27, 2021 | 7:54 AM

આ નિયમ ફક્ત SBI એટીએમ અથવા ડેબિટ કાર્ડ ધારકો માટે છે. જો તમારી પાસે અન્ય બેંક કાર્ડ છે અને તમે SBI ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા છો તો OTPની જરૂર પડશે નહીં.

હવે SBI ના ATM માંથી પૈસા ઉપાડવા મોબાઈલ સાથે રાખવો પડશે, જાણો શું છે કારણ?
CMS Info System IPO

Follow us on

SBI ATM: દેશમાં ATM FRAUD ની ઘટનાઓ ચિંતાજનક સ્તરે વધી રહી છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના એટીએમ કાર્ડ યુઝર્સને છેતરપિંડીથી બચાવવા માટે એક અનોખું પગલું લઈને આવ્યું છે. આ પગલા સાથે ભારતની સૌથી મોટી સરકારી બેંકનો હેતુ સાયબર ક્રાઈમ ઘટાડવાનો છે. SBI એ તેના ગ્રાહકોને સુરક્ષિત બેંકિંગની સુવિધા આપવા માટે સંખ્યાબંધ સુવિધાઓ શરૂ કરી છે જેથી નાણાકીય જરૂરિયાતો પૂરી થાય તેમજ સુરક્ષાનું પણ ધ્યાન રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

આ નવા પગલામાં SBI એ ATM વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે OTP આધારિત વ્યવહારનો નવો નિયમ રજૂ કર્યો છે. આ નવી સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકો માત્ર OTPના આધારે જ ATMમાંથી રોકડ ઉપાડી શકશે. ગ્રાહકોને પહેલા તેમના મોબાઈલ ફોન પર એક OTP મળશે જેના આધારે ATMમાંથી રોકડ ઉપાડી શકાય છે. આ છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. ATM ક્લોનિંગ અથવા અન્ય છેતરપિંડીઓ ટાળવામાં આવશે કારણ કે OTP વિના કોઈ રોકડ વ્યવહાર થશે નહીં. ATMમાં મોબાઈલ ફોન પર મળેલો OTP દાખલ કર્યા પછી જ પૈસા ઉપાડી શકાશે.

SBI એ હાલમાં જ એક ટ્વીટમાં આ નવા ફીચરની જાહેરાત કરી છે. SBI એ ATM આધારિત કેશ ટ્રાન્ઝેક્શનને છેતરપિંડી કરનારાઓ સામે એક પ્રકારનું રસીકરણ ગણાવ્યું છે. જે રીતે કોરોનાની રસીથી તેને પરાજિત કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે OTP આધારિત વ્યવહારો દ્વારા છેતરપિંડી અટકાવવામાં આવશે. બેંકે કહ્યું છે કે તેની પ્રાથમિકતા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવાની છે. OTP આધારિત રોકડ વ્યવહારોની વિગતો આપતા ટ્વિટર પર આ પોસ્ટમાં એક નાનો વીડિયો પણ ઉમેરવામાં આવ્યો છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે
વર્ષ 2020 માં SBI એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શનની સિસ્ટમ રજૂ કરી હતી. આ વખતે આ જ સિસ્ટમ રિફ્રેશ કરવામાં આવી છે અને વધુ સુરક્ષા પગલાં ઉમેરવામાં આવ્યા છે. રોકડ ઉપાડતા પહેલા ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે જે ATM પર વેરિફાય કરવાનું રહેશે. જો આ ઓટીપી એટીએમમાં ​​વેરિફાઈ નહીં થાય તો કેશ બહાર આવશે નહીં. તેથી રોકડ ઉપાડવા માટે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ તમારી સાથે રાખવાની જરૂર પડશે.

નિયમો માત્ર SBI ATMમાં જ કામ કરશે
આ નિયમ ફક્ત SBI એટીએમ અથવા ડેબિટ કાર્ડ ધારકો માટે છે. જો તમારી પાસે અન્ય બેંક કાર્ડ છે અને તમે SBI ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા છો તો OTPની જરૂર પડશે નહીં. જો તમે SBI કાર્ડ ધારક છો પરંતુ અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા હોવ તો પણ તમે OTP સુવિધાનો લાભ લઈ શકશો નહીં. SBI કાર્ડની સાથે SBI પાસે ATM પણ હોવું જોઈએ. આ કિસ્સામાં OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શન થશે.

ગ્રાહકો SBI ATM પર SBI કાર્ડમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરે છે કે તરત જ તેમના મોબાઈલ ફોન પર 4 અંકનો OTP આવશે. એટીએમમાં ​​કાર્ડ નાખ્યા બાદ એક વિન્ડો ખુલશે જેમાં OTP દાખલ કરવાનો રહેશે. તેનાથી OTP વેરિફાય થશે અને ATMમાંથી પૈસા ઉપાડવામાં આવશે.

આ પણ વાંચો :  Pensioners માટે અગત્યના સમાચાર : વહેલી તકે તમારું Life Certificate સબમિટ કરો નહીંતર પેન્શન અટકી જશે, જાણો છેલ્લી તારીખ અને પ્રક્રિયા

આ પણ વાંચો :  Hero Cycles IPO: વિશ્વની સૌથી મોટી સાઇકલ ઉત્પાદક કંપની IPO લાવશે, જાણો શું છે કંપનીની યોજના

Next Article