ITR Filing: તમારુ રિફંડ જલ્દી આવશે કે લાગી શકે છે થોડો ટાઈમ? સમજો આખી પ્રક્રિયા

તમે જોયું હશે કે કેટલાક લોકોને તેમનું રિફંડ ખૂબ જ ઝડપથી મળે છે અને કેટલાક લોકોને તેમનું રિફંડ મેળવવામાં ઘણો સમય લાગે છે. આવું કેમ થાય છે? લોકો આ વાતથી વાકેફ નથી. અહીં સમજો કે ITR ફાઇલ કર્યા પછી તમારા રિફંડની પ્રક્રિયા કેવી રીતે થાય છે.

ITR Filing: તમારુ રિફંડ જલ્દી આવશે કે લાગી શકે છે થોડો ટાઈમ? સમજો આખી પ્રક્રિયા
ITR Filing process
| Updated on: Jun 25, 2025 | 1:32 PM

આવકવેરા રિટર્ન ફાઇલિંગ (Income Tax Return fileing 2025) સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. જેમણે રિટર્ન ફાઇલ કર્યા છે તેઓ હવે રિફંડની રાહ જોઈ રહ્યા છે. તમે જોયું હશે કે કેટલાક લોકોને તેમનું રિફંડ ખૂબ જ ઝડપથી મળે છે અને કેટલાક લોકોને તેમનું રિફંડ મેળવવામાં ઘણો સમય લાગે છે. આવું કેમ થાય છે? લોકો આ વાતથી વાકેફ નથી. અહીં સમજો કે ITR ફાઇલ કર્યા પછી તમારા રિફંડની પ્રક્રિયા કેવી રીતે થાય છે.

ગયા વર્ષે, નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે કહ્યું હતું કે ટેકનોલોજીના ઉપયોગથી, રિફંડ જાહેર કરવાની પ્રક્રિયામાં લાગતો સમય હવે ઘણો ઓછો થઈ ગયો છે. જ્યારે 2013-14માં રિફંડ જાહેર વામાં સરેરાશ 93 દિવસ લાગતા હતા, હવે આ સમય ઘટીને માત્ર 10 દિવસ થઈ ગયો છે. જોકે, તે સમયે નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે દરેક ITR 10 દિવસમાં પ્રક્રિયા થતી નથી. પરંતુ અહીં નોંધનીય મુદ્દો એ છે કે 10 દિવસ એ ‘સરેરાશ’ સમય છે, ગેરંટી નથી.

તમારું ITR ફોર્મ વિલંબનું કારણ?

તમારા ITR રિફંડમાં વિલંબનું સૌથી મોટું અને સીધું કારણ તમે ભરેલું ITR ફોર્મ છે. આવકવેરા વિભાગ માટે ફોર્મ પ્રોસેસ કરવાનું જેટલું સરળ છે, તેટલું જ વહેલું રિફંડ આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે ITR-1 ફાઇલ કર્યું છે, તો તમારા રિફંડની પ્રક્રિયા પહેલા કરવામાં આવે છે કારણ કે તેમાં ખૂબ ઓછી ગૂંચવણો હોય છે. બીજી બાજુ, ITR-2 અને ખાસ કરીને ITR-3 ફાઇલ કરનારાઓ માટે રિફંડમાં વધુ સમય લાગી શકે છે કારણ કે તેમાં મૂડી લાભ અને વ્યવસાયિક આવક જેવી જટિલ માહિતી હોય છે, જેની તપાસ કરવામાં સમય લાગે છે.

રિફંડમાં વિલંબના અન્ય 3 મુખ્ય કારણો

ITR ફોર્મ ઉપરાંત, કેટલીક અન્ય બાબતો પણ છે જે તમારા રિફંડની પ્રક્રિયાને અસર કરે છે-

રિટર્ન ફાઇલ કરવાની તારીખ

જે લોકો નિયત તારીખ પહેલા તેમના ITR ફાઇલ કરે છે તેમના રિફંડની પ્રક્રિયા ઝડપથી થવાની શક્યતા વધુ હોય છે. છેલ્લા દિવસોમાં ફાઇલ કરવાથી સર્વર પર ભાર વધે છે, જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થાય છે.

ITR નું ઈ-વેરિફિકેશન

ITR ફાઇલ કર્યા પછી, 30 દિવસની અંદર તેને ઈ-વેરિફિકેશન કરવું ફરજિયાત છે. જો તમે વેરિફિકેશનમાં વિલંબ કરો છો, તો તમારી રિફંડ પ્રક્રિયા પણ તે જ વિલંબથી શરૂ થશે.

બેંક ખાતાની માહિતી

જો તમે તમારા ITR માં ખોટો બેંક એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ આપ્યો છે, અથવા તમારું બેંક ખાતું પહેલાથી માન્ય નથી, તો રિફંડ નિષ્ફળ થઈ શકે છે અને સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.

તમારા ITR રિફંડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

તમે ઘરે બેઠા તમારા ITR રિફંડ સ્ટેટસ સરળતાથી ચેક કરી શકો છો. આ માટે, નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:

સ્ટેપ 1: સૌ પ્રથમ આવકવેરા વેબસાઇટ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર જાઓ.

સ્ટેપ 2: તમારો PAN કાર્ડ નંબર (PAN) દાખલ કરો.

સ્ટેપ 3: ‘આકારણી વર્ષ’ પસંદ કરો.

સ્ટેપ 4: સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરો.

સ્ટેપ 5: ‘આગળ વધો’ બટન પર ક્લિક કરો. તમારા રિફંડ સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.

કંપનીઓ પર લાદવામાં આવતા ટેક્સને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરો સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે.  આ અંગે વધારે માહિતી જાણવા અહીં ક્લિક કરો