ભારત સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે, Iphone બાદ હવે વધુ એક કંપનીના Smartphone ઉપર Make in Indiaનો માર્ક જોવા મળશે

|

Jun 06, 2023 | 8:37 AM

મેક ઇન ઇન્ડિયા(Make In India)નો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજવા લાગ્યો છે. એપલ(Apple Inc) બાદ વધુ એક દિગ્ગજ કંપનીએ ભારતમાં પોતાના સ્માર્ટફોન(Smartphone) બનાવવાનો નિર્ણય કર્યો છે. યુકે કન્ઝ્યુમર ટેક્નોલોજી બ્રાન્ડ નથિંગે ભારતમાં તેના આગામી સ્માર્ટફોન ફોનનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે.

ભારત સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે, Iphone બાદ હવે વધુ એક કંપનીના Smartphone ઉપર Make in  Indiaનો માર્ક જોવા મળશે

Follow us on

મેક ઇન ઇન્ડિયા(Make In India)નો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજવા લાગ્યો છે. એપલ(Apple Inc) બાદ વધુ એક દિગ્ગજ કંપનીએ ભારતમાં પોતાના સ્માર્ટફોન(Smartphone) બનાવવાનો નિર્ણય કર્યો છે. યુકે કન્ઝ્યુમર ટેક્નોલોજી બ્રાન્ડ નથિંગે ભારતમાં તેના આગામી સ્માર્ટફોન ફોનનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે પર્યાવરણનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. ફોનની તુલનામાં તેમાં ત્રણ ગણા વધુ રિસાયકલ એટલે કે બાયો-આધારિત પાર્ટ્સ હશે. તેનું અનબોક્સિંગ સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી હશે. તેના અંતિમ એસેમ્બલી પ્લાન્ટ સંપૂર્ણપણે રિન્યુએબલ ઉર્જા પર ચાલશે. ઉપરાંત તેની ફ્રેમ 100 ટકા રિસાયકલ એલ્યુમિનિયમથી બનેલી હશે.

નથિંગ ઇન્ડિયાના અધિકારી મનુ શર્માએ જણાવ્યું હતું કે કંપનીના સ્માર્ટફોન તેમની પ્રતિષ્ઠિત પારદર્શક ડિઝાઇન માટે જાણીતા છે. આવી ડિઝાઇન માટે હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાઓ અને ચોકસાઇ એન્જિનિયરિંગની જરૂર પડે છે. ભારત પાસે આ ક્ષમતા છે. તેમણે કહ્યું કે ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરવાનો અમારો નિર્ણય સ્થાનિક ગ્રાહકો અને તેમની માંગ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ફોનભારતમાં બનાવવામાં આવશે. યુવા બ્રાન્ડ હોવાને કારણે અમે હંમેશા અર્થ-પ્રથમ અભિગમને પ્રાધાન્ય આપ્યું છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આ ફોનની ગુણવત્તા શું છે?

મનુ શર્માએ કહ્યું કે ફોન વિશ્વનો સૌથી ટકાઉ સ્માર્ટફોન છે. આ ફોન અગાઉના ફોન કરતાં 5 કિલો ઓછું કાર્બન ફૂટપ્રિન્ટ આપશે જ્યારે તેની બેટરી ક્ષમતા ફોન કરતાં 200 mAh વધુ છે અને સ્ક્રીન પણ 0.15 ઇંચ મોટી છે. ફોન -2 ફોન-1 કરતા ત્રણ ગણા વધુ રિસાયકલ કરેલા ભાગો ધરાવે છે. તેના નવ સર્કિટ બોર્ડ 100 ટકા રિસાયકલ ટીન હશે મુખ્ય સર્કિટ બોર્ડ 100 ટકા રિસાયકલ કોપર ફોઇલ હશે અને તમામ 28 સ્ટીલ સ્ટેમ્પિંગ પાર્ટ્સ 90 ટકા રિસાયકલ સ્ટીલ હશે. તેનું પેકેજિંગ સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી હશે.

નથિંગે ભારતમાં ચાર કન્ઝ્યુમર ટેક પ્રોડક્ટ્સ લૉન્ચ કરી છે અને તેના ગ્રાહક સપોર્ટ બેઝને સતત વિસ્તરી રહી છે. દેશમાં તેના 230 થી વધુ અધિકૃત સેવા કેન્દ્રો છે. કંપનીની સ્થાપના 2020 માં લંડનમાં થઈ હતી કંપનીના ફોન-1ને ટાઇમ મેગેઝિન દ્વારા 2022ના શ્રેષ્ઠ ઇનોવેશન્સમાં સામેલ કરવામાં આવ્યો હતો.  વિશ્વભરમાં 1,000,000 એકમોથી વધુ વેચાયા છે. ડિસેમ્બર 2022 માં, કંપનીએ લંડનમાં તેનો પહેલો રિટેલ સ્ટોર નથિંગ સ્ટોર સોહો ખોલ્યો  હતો . કંપની પાસે GV, EQT વેન્ચર્સ અને C વેન્ચર્સનું રોકાણ છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:34 am, Tue, 6 June 23

Next Article