Karvy Stcok ના MD સી પાર્થસારથીની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ , કંપનીના 2 લાખ ગ્રાહકો ઉપર પડશે અસર ?

|

Aug 20, 2021 | 2:50 PM

હૈદરાબાદ પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર અવિનાશ મોહંતીએ જણાવ્યું હતું કે "HDFC બેન્કે 350 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવતા બે કેસ પણ નોંધ્યા છે."

સમાચાર સાંભળો
Karvy Stcok ના MD સી પાર્થસારથીની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ , કંપનીના 2 લાખ ગ્રાહકો ઉપર પડશે અસર ?
Hyderabad police arrest Karvy Stcok's MD C Parthasarathy

Follow us on

Karvy Stock Brokingના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સી પાર્થસારથી(C Parthasarathy)ની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે તેના પર છેતરપિંડી અને ગ્રાહકોના ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ઇન્ડસઇન્ડ બેંકે(IndusInd Bank ) ફાઇનાન્સિયલ સર્વિસ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી કે કંપનીએ તેની પાસેથી 137 કરોડ રૂપિયાની લોન લઇને ડિફોલ્ટ કર્યું હતું.

હૈદરાબાદ પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર અવિનાશ મોહંતીએ જણાવ્યું હતું કે “HDFC બેન્કે 350 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવતા બે કેસ પણ નોંધ્યા છે.” પોલીસના જણાવ્યા અનુસાર હૈદરાબાદ સ્થિત કંપની પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ના નિયમોના ભંગ, છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર અને વિશ્વાસ ભંગનો આરોપ લગાવવામાં આવ્યો છે.

હૈદરાબાદ પોલીસ કમિશનર અંજની કુમારે જણાવ્યું હતું કે પાર્થસારથીની IPC કલમ 406 (વિશ્વાસનો ભંગ), 420 (છેતરપિંડી), 418 (એવી જાણકારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે કે ખોટી ખોટ એ વ્યક્તિને થઈ શકે છે જેના હિતનો ગુનેગાર રક્ષણ કરવા માટે બંધાયેલ છે), 421 (અપ્રામાણિક અથવા લેણદારો વચ્ચે વહેંચણી અટકાવવા માટે છેતરપિંડી દૂર કરવી અથવા મિલકત છુપાવવી), 422 (લેણદારો માટે ઉપલબ્ધ બેઇમાની અથવા છેતરપિંડીથી રોકવું), 409 (જાહેર સેવક દ્વારા વિશ્વાસઘાતનો ભંગ, અથવા બેન્કર, વેપારી અથવા એજન્ટ દ્વારા) અને 120 બી (કાવતરું) ધરપકડ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મામલો શું છે?
વર્ષ 2019 માં સેબીએ કંપની સામે લગાવવામાં આવેલા અનિયમિતતાના ઘણા આરોપો બાબતે તપાસ શરૂ કરી હતી. ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું કે Karvyએ બેંકો પાસેથી લોન એકત્રિત કરી હતી અને ભંડોળને તેની પોતાની પેટાકંપની કંપનીઓને કાર્યકારી મૂડી તરીકે ટ્રાન્સફર કર્યું હતું. અવિનાશ મોહંતીએ જણાવ્યું કે કંપનીએ IndusInd Bank અને HDFC Bank, ICICI Bank, બજાજ ફાઇનાન્સ(Bajaj Finance) અને કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Ban) પાસેથી લોન લીધી હતી.

કંપનીએ ઘણા વર્ષોથી આ લોન લીધી હતી. કંપનીએ તેની સિક્યોરિટીઝને કોલેટરલ તરીકે દર્શાવી હતી. જો કે સેબીની તપાસમાં બહાર આવ્યું છે કે કંપની દ્વારા બેન્કો પાસે રાખવામાં આવેલી સિક્યોરિટીઝ તેની પોતાની નથી પરંતુ તેના ગ્રાહકોની છે જ્યારે બેન્કોને એવી ખબર હતી કે તે તેની સિક્યોરિટીઝ છે.

આ ઘટસ્ફોટ બાદ સેબીએ 2022 માં કાર્વી ઉપર NSE અને BSE એટલે કે શેરબજારમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ લોન હેઠળ લીધેલા નાણાં કાર્યકારી મૂડી તરીકે ઉપયોગમાં લેવાયા હોવાથી કંપનીએ ડિફોલ્ટ કરવાનું શરૂ કર્યું.

પોલીસે જણાવ્યું હતું કે કાર્વી સ્ટોક બ્રોકિંગમાં લગભગ બે લાખ ગ્રાહકો છે પરંતુ તેમના વતી કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી.

 

આ પણ વાંચો :  Jet Airways કેસમાં નવો વળાંક, હવે કર્મચારીઓએ રિઝોલ્યુશન પ્લાન પર પ્રતિબંધની માંગ કરી

આ પણ વાંચો :   DRI એ ડયુટી ચોરીના કેસમાં Samsung Electronics પાસે 300 કરોડ રૂપિયા વસૂલ્યા , જાણો શું છે મામલો

 

Next Article