Aadhaar card correction without mobile number: આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે. UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભારત સરકારની એજન્સી છે. આધાર કાર્ડમાં 12 અંકનો યુનિક કોડ હોય છે, જેને આધાર નંબર કહેવાય છે. સમય જતાં આધાર આપણા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. આધાર એ આપણો ઓળખ પુરાવો છે જે ભારતીય નાગરિકતાની પુષ્ટિ કરવા માટેનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે પાસપોર્ટ, પાન અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા અન્ય ઓળખ કાર્ડનો કોઈ ઉપયોગ નથી. આ તમામ દસ્તાવેજો આધાર જેટલા જ મહત્વપૂર્ણ છે.
જેમ કે અન્ય કાર્ડમાં જોવા મળે છે, તે રીતે આધારમાં પણ કેટલીક ભૂલ જોવા મળતી હોય છે. ક્યારેક પ્રિન્ટમાં ભૂલ હોય છે તો ક્યારેક ખોટી માહિતી આપવા સંબંધિત અચોક્કસતા જોવા મળે છે. તેને સુધારવી જરૂરી છે કારણ કે ક્યાંક ખોટી માહિતી આપવા કરતાં ન આપવી તે વધુ સારું છે. તેને ધ્યાનમાં રાખીને આધારમાં સુધાર કરવાની સરળ રીતો આપવામાં આવી છે. આ કરેક્શન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. તેથી, જે લોકો પાસે કોઈ નોંધાયેલ મોબાઈલ નંબર નથી, તેઓ નીચેની રીતે આધારમાં સુધારો કરી શકે છે. આ કામ ઓફલાઈન રહેશે કારણ કે તમે OTP મેળવવા માટે આધારમાં કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો નથી.
UIDAI વેબસાઈટની મુલાકાત લો અને લોગિન કરો. આ કામ ત્યારે જ થશે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થઈ જશે. જો તમે આ માટે અગાઉ અરજી કરી હોય તો મોબાઈલ નંબર 3-5 દિવસમાં રજીસ્ટર થઈ જાય છે. આ મોબાઈલ નંબર પર OTP આવે છે, જેની મદદથી આધારને સુધારી શકાય છે અથવા અપડેટ કરી શકાય છે.