
કોર્ટે કસ્ટમ અધિકારીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી હતી. કોર્ટે કહ્યું કે જો આગામી સુનાવણી સુધી નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો 19 મે સુધીમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવી જોઈએ. નવા નિયમો આવે ત્યાં સુધી આનો અમલ કરવામાં આવશે.

કસ્ટમ્સ વિભાગે કહ્યું કે સીબીઆઈસી આ મામલે સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહી છે અને નવા નિયમો બનાવવામાં વ્યસ્ત છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી નવા નિયમો ન બને ત્યાં સુધી કસ્ટમ્સ અધિકારીઓ મુસાફરો દ્વારા પહેરવામાં આવેલા અથવા ઉપયોગમાં લેવાતા ઘરેણાં જપ્ત કરી શકશે નહીં.

આ નિર્ણય બાદ મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને એવા લોકો જેઓ વિદેશથી પોતાના અંગત ઘરેણાં પહેરીને આવે છે. તેમને હવે બિનજરૂરી રીતે રોકવામાં આવશે નહીં. કોર્ટે એ પણ નક્કી કર્યું છે કે જો 19 મે સુધીમાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અસ્થાયી માર્ગદર્શિકા બનાવવી જોઈએ.