રેલવેની આ કંપનીમાં સરકારે વેચ્યો પોતાનો હિસ્સો, જોરદાર પ્રતિસાદ પણ બજારમાં હલચલ

|

Jul 29, 2023 | 4:43 PM

ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 51,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરકારે અત્યાર સુધીમાં રૂ. 4,235 કરોડ એકત્ર કર્યા છે. જેમાં કોલ ઈન્ડિયાના શેરના વેચાણમાંથી રૂ. 4,185 કરોડ એકત્ર થયા છે.

રેલવેની આ કંપનીમાં સરકારે વેચ્યો પોતાનો હિસ્સો, જોરદાર પ્રતિસાદ પણ બજારમાં હલચલ
Image Credit source: Google

Follow us on

રેલવેની કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) દ્વારા શેર વેચાણની ઓફરને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. બે દિવસીય સેલ ઓફર શુક્રવારે બંધ થયો. આ સમયગાળા દરમિયાન, સરકારે 11.17 કરોડ શેર વેચ્યા, જે રેલવે ઉપક્રમ આરવીએનએલના 5.36 ટકા હિસ્સાની સમકક્ષ છે. RVNLની ઓફર ફોર સેલ માટે પ્રતિ શેર 119 રૂપિયાની રિઝર્વ કિંમત નક્કી કરવામાં આવી હતી. આ ઓફરમાં ઉંચી બિડના કિસ્સામાં વધારાના 4.08 કરોડ શેર એટલે કે 1.96 ટકા હિસ્સો વેચવાનો વિકલ્પ પણ હતો.

આ પણ વાંચો: Cabinet Decisions: કેબિનેટનો મોટો નિર્ણય, સરકાર હિંદુસ્તાન ઝિંકમાં પોતાનો આખો હિસ્સો વેચશે, 36 હજાર 500 કરોડ મળવાની આશા

સ્ટોક ખરાબ રીતે ક્રેશ

જો કે, શેરબજારમાં RVNLના શેરમાં મોટો ઘટાડો થયો છે. આ સ્ટોક એક સપ્તાહમાં લગભગ 12 ટકા તૂટ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરનો ભાવ રૂ. 120.95 હતો. જે આગલા દિવસની સરખામણીએ 4.12%નો ઘટાડો દર્શાવે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સરકારી નિવેદન

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડે જણાવ્યું હતું કે, “RVNL ઓફર ફોર સેલને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ સાથે, RVNL હવે મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS)ને પહોંચી વળવા માટે એક કંપની બની ગઈ છે. આ હિસ્સાના વેચાણ સાથે, RVNLમાં સરકારનો હિસ્સો 78.20 ટકાથી ઘટીને 72.84 ટકા થઈ જશે.

કંપની વિશે

RVNLને જાન્યુઆરી, 2003માં રેલવે મંત્રાલયની સંપૂર્ણ માલિકીની જાહેર ક્ષેત્રના ઉપક્રમ તરીકે સામેલ કરવામાં આવી હતી. આના દ્વારા રેલવેના માળખાકીય વિકાસ પરિયોજનાઓને અમલમાં મૂકવા અને તેના માટે ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

LICમાં હિસ્સો વેચીને 20,560 કરોડ એકત્ર કર્યા

સરકારે દેશના સૌથી મોટા રાજ્ય સંચાલિત જીવન વીમા નિગમ (LIC)માં તેનો 3.5 ટકા હિસ્સો વેચીને રૂ. 20,560 કરોડ ઊભા કર્યા છે. LICનો IPO ઘણો નબળો હતો. તે 4 મેના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યું હતું અને 9 મેના રોજ બંધ થયું હતું. તે 17 મેના રોજ 9 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયું હતું. આ માટે ઈશ્યુ પ્રાઇસ 949 રૂપિયા હતી. તે 818 રૂપિયાના સ્તરે સરકી ગયો છે. 30 મેના રોજ કંપની માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Next Article