વિશાખાપટ્ટનમની ઘટના બાદ સરકારનો નિર્ણય, ગુજરાતમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા લાગુ થશે નિયમો

રાજ્યમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા નિયમો લાગુ થશે. વિશાખાપટ્ટનમમાં આગ લાગવાની ઘટના બાદ સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતમાં પણ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા બાબતે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં બંધ પડેલા મશીનોને ટ્રેઈન કારીગરો જ ઓપરેટ કરે, હાજર રહેતા કામદારો પ્રમાણે જ ઉત્પાદન કરવાની સલાહ આપવામાં આવી છે. વીજળીનું કનેક્શન બરાબર છે કે નહીં તે […]

વિશાખાપટ્ટનમની ઘટના બાદ સરકારનો નિર્ણય, ગુજરાતમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા લાગુ થશે નિયમો
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:47 AM

રાજ્યમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા નિયમો લાગુ થશે. વિશાખાપટ્ટનમમાં આગ લાગવાની ઘટના બાદ સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતમાં પણ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા બાબતે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં બંધ પડેલા મશીનોને ટ્રેઈન કારીગરો જ ઓપરેટ કરે, હાજર રહેતા કામદારો પ્રમાણે જ ઉત્પાદન કરવાની સલાહ આપવામાં આવી છે. વીજળીનું કનેક્શન બરાબર છે કે નહીં તે ચેક કરવું, કારખાનાના તમામ ઈમરજન્સી સાધનોને ચેક કરવા, ઉપરાંત પી.પી.ઈ કીટ પહેરીને મશીન ઓપરેટ કરવાની આપી સૂચના આપવામાં આવી છે. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:36 am, Mon, 11 May 20