G20 India : ભ્રષ્ટાચાર સામે મોદી સરકારનો પડકાર, ઝીરો ટોલરન્સની બનાવી યોજના

|

Mar 02, 2023 | 12:18 PM

G20 India Meeting : ભારત વૈશ્વિક ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસોને મજબૂત બનાવવામાં અને ભ્રષ્ટાચારના વ્યાપક પડકારનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

G20 India : ભ્રષ્ટાચાર સામે મોદી સરકારનો પડકાર, ઝીરો ટોલરન્સની બનાવી યોજના
G20 India Meeting

Follow us on

G20 India Meeting : ભારતની અધ્યક્ષતા દરમિયાન, G20 ની પ્રથમ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથ (ACWG) બેઠક ગુરુગ્રામ, હરિયાણામાં શરૂ થઈ છે. ACWGની આ ત્રણ દિવસીય બેઠક 1 થી 3 માર્ચ, 2023 સુધી ચાલશે. જ્યારે G20 પ્રતિનિધિઓએ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠકના પ્રથમ દિવસની શરૂઆત યોગ સત્રથી કરી હતી. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે બેઠકમાં હાજર રહેલા G20 પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને મંત્રીએ ગુરુગ્રામમાં ચાલી રહેલી પ્રથમ ACWG બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું.

આ દરમિયાન, મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસોને મજબૂત બનાવવામાં અને ભ્રષ્ટાચારના વ્યાપક પડકારોનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ચાલો જાણીએ કે ભવિષ્યમાં ભ્રષ્ટાચારના પડકારોનો સામનો કરવા માટે બેઠક દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વાસ્તવમાં ભ્રષ્ટાચાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે અભિશાપ છે. જે સંસાધનોના અસરકારક ઉપયોગ અને એકંદર શાસનને અસર કરે છે. જ્યારે ભ્રષ્ટાચાર સીમાંત ગરીબ લોકોને સૌથી વધુ અસર કરે છે. તેથી, ભારતના G20 પ્રમુખપદ દરમિયાન ગુરુગ્રામમાં ચાલી રહેલી પ્રથમ ACWG બેઠકમાં, ભારત, ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી મિકેનિઝમને મજબૂત કરવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બેઠકમાં ભાગ લેનારા વિદેશી પ્રતિનિધિઓ પણ વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચાર સામે લડવા માટે G20 ની પ્રતિબદ્ધતાઓને મજબૂત કરવા પર તેમના મંતવ્યો શેર કરશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

હરિયાણવી કલા અને સંસ્કૃતિથી વિદેશી પ્રતિનીધીઓને રૂબરૂ કરાવવામાં આવશે

ભારતના G20 પ્રમુખપદ દરમિયાન દેશના ખૂણે ખૂણે વિવિધ G20 બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ સમય દરમિયાન ભારત તમામ વિદેશી પ્રતિનિધિઓને પોતાની સંસ્કૃતિ, કલા, ઐતિહાસિક વારસો અને સ્થળોનો પરિચય કરાવી રહ્યું છે. આ ક્રમમાં, હરિયાણાના ગુરુગ્રામમાં ચાલી રહેલી G20ની પ્રથમ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠક દરમિયાન, વિદેશી પ્રતિનિધિઓ હરિયાણવી કલા અને સંસ્કૃતિ માહિતગાર કરાશે. આ ઉપરાંત, પ્રતિનિધિઓ ઐતિહાસિક સ્થળોની મુલાકાત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્થાનિક ભોજન દ્વારા હરિયાણાની સંસ્કૃતિનો અનુભવ કરશે.

ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથ 2010 માં શરૂ કરવામાં આવ્યું હતું

વાસ્તવમાં, ભ્રષ્ટાચાર સામેની લડાઈ એ ભવિષ્યની લડાઈ છે, તેથી વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે G20 અંતર્ગત વર્ષ 2010માં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે ACWGની બેઠકમાં એક અધ્યક્ષ દેશ અને એક સહ અધ્યક્ષ દેશ હોય છે. જો કે ભારત ACWG, 2023 ના સહ-અધ્યક્ષ છે, જે ભારતની G20 અધ્યક્ષતા હેઠળ છે.

Next Article