NSE Scam: શું આનંદ સુબ્રમણ્યમ જ છે કથીત રહસ્યમય યોગી? CBIએ કર્યો મોટો ખુલાસો

NSEના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર (MD) અને CEO ચિત્રા રામકૃષ્ણને જે ઈમેઈલ આઈડી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે કથિત "રહસ્યમય યોગી" બાબત CBIએ કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા હતા.

NSE Scam: શું આનંદ સુબ્રમણ્યમ જ છે કથીત રહસ્યમય યોગી? CBIએ કર્યો મોટો ખુલાસો
NSE Scam (File image)
| Edited By: | Updated on: Mar 12, 2022 | 1:45 PM

CBIએ શુક્રવારે દાવો કર્યો હતો કે “રહસ્યમય યોગી” દ્વારા NSEના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર (MD) અને CEO ચિત્રા રામકૃષ્ણને જે ઈમેઈલ આઈડી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે કથિત રીતે તેમના મનપસંદ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (GOO) આનંદ સુબ્રમણ્યમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. સીબીઆઈના આ નિવેદનથી આ રહસ્યમય યોગીના રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. તપાસ એજન્સીએ શુક્રવારે વિશેષ CBI કોર્ટને જણાવ્યું હતું કે CBI નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના સીઈઓ રામકૃષ્ણ અને GOO સુબ્રમણ્યમની ટેક્સ ચોરીના આશ્રયસ્થાન સેશેલ્સની મુલાકાતની પણ તપાસ કરી રહી છે.

તેણે કહ્યું કે સુબ્રમણ્યમ દ્વારા કથિત રીતે બનાવેલ ઈમેઈલ આઈડી rigayajursamaatoutlook.comનો તે પોતે કે અન્ય કોઈ ઉપયોગ કરી રહ્યું હતું, હવે સીબીઆઈ તેની તપાસ કરી રહી છે. સીબીઆઈએ શુક્રવારે વિશેષ અદાલતને જણાવ્યું હતું કે સુબ્રમણ્યમ યોગી હતા, જેનો તેમના (સુબ્રમણ્યમ) વકીલે વિરોધ કર્યો હતો. સીબીઆઈએ વિશેષ અદાલતને એ પણ જણાવ્યું છે કે સુબ્રમણ્યમની સેશેલ્સની મુલાકાતની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નું માનવું છે કે તે કોઈ આકસ્મિક બહાર નથી અને તેની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. 11 ફેબ્રુઆરીના રોજ સેબીએ સુબ્રમણ્યમને મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં અને તેમને ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં શાસનની ક્ષતિઓ માટે રામકૃષ્ણ અને અન્ય લોકો પર આરોપ મૂક્યા હતા.

સેબીએ તેના અહેવાલમાં સુબ્રમણ્યમ હોવાની શંકાસ્પદ યોગી સાથે રામકૃષ્ણની ઈમેઈલ વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઈમેઈલમાં સેશેલ્સની યાત્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સેબીએ કહ્યું, “અજાણ્યા વ્યક્તિએ 17 ફેબ્રુઆરી, 2015ના રોજ રામકૃષ્ણને પત્ર લખ્યો.. બેગ તૈયાર રાખો, હું આવતા મહિને સેશેલ્સ જવાની યોજના બનાવી રહ્યો છું, તમે મારી સાથે આવવાનો પ્રયત્ન કરશો…. ,

અધિકારીઓએ જણાવ્યુ કે તપાસ એજન્સી વચ્ચે રામાકૃષ્ણ અને રીગયાજુરસમાં outlook.com વચ્ચે ઈમેઈલ આદાન- પ્રદાન મેળવવાની કોશિશ કરી રહી છે. સીબીઆઈની તપાસમાં એવું જણાય છે કે સુબ્રમણ્યમે આ ઈમેઈલ આઈડી રામકૃષ્ણ સાથે યોગી તરીકે વાતચીત કરવા માટે બનાવ્યુ હોય શકે છે. ઈમેઈલની સ્પષ્ટ તસવીર મેળવવા માટે સીબીઆઈ માઈક્રોસોફ્ટનો સંપર્ક કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :IPL 2022: દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો નવા રંગમાં જોવા મળશે

આ પણ વાંચો :પુતિનને છે પાર્કિન્સન્સ રોગનું જોખમ, યુકેના પૂર્વ MI6ના વડાએ આ કેમ કહ્યું અને શું છે આ રોગ?