ભારત-કેનેડા વિવાદ વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતમાંથી 10,000 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા, જાણો શું છે કારણ

સરકારી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે FPIએ આ મહિનાના 15 ટ્રેડિંગ દિવસોમાંથી 11 દિવસ વેચાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેણે ભારતીય બજારમાંથી 10,164 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ઓગસ્ટ મહિનામાં ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો પ્રવાહ ઘટીને રૂ. 12,262 કરોડ થયો છે.

ભારત-કેનેડા વિવાદ વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતમાંથી 10,000 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા, જાણો શું છે કારણ
| Edited By: | Updated on: Sep 24, 2023 | 2:30 PM

ભારત-કેનેડાનો (India-Canada) મુદ્દો અટકતો જણાતો નથી. તેની અસર હવે અર્થવ્યવસ્થા પર પણ દેખાવા લાગી છે. કેનેડા વિવાદ ઉપરાંત અમેરિકામાં વ્યાજદરમાં વધારો અને મંદીના ભય જેવા કારણોને લીધે વિદેશી રોકાણકારોમાં ચિંતા વધી છે. તેના કારણે સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી (Stock Market) 10,000 કરોડ રૂપિયાથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે.

આ પહેલા માર્ચથી ઓગસ્ટ દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં 1.74 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ છેલ્લા 6 મહિનામાં વિદેશી રોકાણકારોના શેર ખરીદીને કરવામાં આવ્યું હતું.

વિદેશી રોકાણકારો રૂપિયા કેમ ઉપાડી રહ્યા છે?

બજારના નિષ્ણાતોનું માનવું છે કે, બજારનું મૂલ્યાંકન હજુ પણ ઊંચું છે. તેના પર અમેરિકામાં ઊંચા વ્યાજદર, મંદીનો ડર અને હવે ભારત-કેનેડા વિવાદને કારણે રોકાણકારો સેફ હેવનમાં નાણાં મૂકી રહ્યા છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વિશ્લેષક વીકે વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્કેટ વેલ્યુએશન હજુ પણ ઊંચું છે અને યુએસમાં બોન્ડ યીલ્ડ (10 વર્ષ માટે 4.49 ટકા) આકર્ષક છે. જેના કારણે વિદેશી રોકાણકારો બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે.

શું કહે છે આંકડા ?

સરકારી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે FPIએ આ મહિનાના 15 ટ્રેડિંગ દિવસોમાંથી 11 દિવસ વેચાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેણે ભારતીય બજારમાંથી 10,164 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ઓગસ્ટ મહિનામાં ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો પ્રવાહ ઘટીને રૂ. 12,262 કરોડ થયો છે. વિદેશી રોકાણકારોનો આ પ્રવાહ 4 મહિનામાં સૌથી નીચો સ્તર છે. તો શું વિદેશી રોકાણકારો ભારતીય બજારથી ભ્રમિત થયા છે? આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે

રોકાણનો પ્રવાહ ધીમો રહ્યો

હિમાંશુ શ્રીવાસ્તવ, એસોસિયેટ ડાયરેક્ટર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સપ્તાહોથી વિદેશી રોકાણકારો તરફથી રોકાણનો પ્રવાહ ધીમો રહ્યો છે. તેમની ચિંતા પાછળનું મુખ્ય કારણ ફુગાવો અને ખાસ કરીને અમેરિકા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં વ્યાજ દરની સ્થિતિ અંગે અનિશ્ચિતતા છે.

આ પણ વાંચો : Stock Tips : આ 10 Penny Stocksએ રોકાણકારોને માલામાલ કર્યા, જુલાઈથી અત્યાર સુધીમાં 410% સુધી Multibagger રિટર્ન આપ્યું

સરકારી ડેટા અનુસાર, FPIs એ આ સમયગાળા દરમિયાન લોડ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 295 કરોડ મૂક્યા છે. આમ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં શેર્સમાં એફપીઆઈનું રોકાણ રૂ. 1.25 લાખ કરોડ રહ્યું છે. તેણે બોન્ડ માર્કેટમાં 28,476 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો