ગ્રેજ્યુઈટી માટે કર્મચારીએ હવે એક જ સંસ્થામાં સંળગ પાંચ વર્ષ નોકરી નહી કરવી પડે, નવા શ્રમ બિલમાં પહેલા વર્ષથી મળશે ગ્રેજ્યુઈટીનો લાભ

ગ્રેજ્યુટીનો લાભ લેવા હવે પાંચ વર્ષ સુધી એકજ ફર્મમાં નોકરી કરવી ફરજીયાત નથી નવા શ્રમ બિલ અનુસાર હવે ગ્રેજ્યુટીની ગણતરી વર્ષના આધારે કરશે. વ્યવસાયિક ઉન્નતિના ભાગરૂપે નોકરી બદલનાર કર્મચારીને ૫ વર્ષથી ઓછા વર્ષની નોકરીના કારણે હક જતો કરવો પડશે નહિ. કેન્દ્ર સરકારના આ નવા બિલને સંસદમાં મંજૂરી પણ મળી ગઈ છે. પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીયાતવર્ગ  સતત […]

ગ્રેજ્યુઈટી માટે કર્મચારીએ હવે એક જ સંસ્થામાં સંળગ પાંચ વર્ષ નોકરી નહી કરવી પડે, નવા શ્રમ બિલમાં પહેલા વર્ષથી મળશે ગ્રેજ્યુઈટીનો લાભ
| Edited By: | Updated on: Sep 25, 2020 | 4:14 PM

ગ્રેજ્યુટીનો લાભ લેવા હવે પાંચ વર્ષ સુધી એકજ ફર્મમાં નોકરી કરવી ફરજીયાત નથી નવા શ્રમ બિલ અનુસાર હવે ગ્રેજ્યુટીની ગણતરી વર્ષના આધારે કરશે. વ્યવસાયિક ઉન્નતિના ભાગરૂપે નોકરી બદલનાર કર્મચારીને ૫ વર્ષથી ઓછા વર્ષની નોકરીના કારણે હક જતો કરવો પડશે નહિ. કેન્દ્ર સરકારના આ નવા બિલને સંસદમાં મંજૂરી પણ મળી ગઈ છે.

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીયાતવર્ગ  સતત પાંચ વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરે,કોઈ કારણને કારણે જોબ છોડે  કે પછી નોકરી છૂટી જાય હોય તો  ગ્રેજ્યુટી જતી કરવી પડે છે  પણ હવે લાભ માટે  પાંચ વર્ષ રાહ જોવાની જરૂર નથી. નવા નિયમ મુજબ  દર વર્ષે ગ્રેજ્યુટી અપાશે. જે લોકોને ફિક્સ્ડ ટર્મ બેઝિસ પર નોકરી અપાય છે  તેઓને નોકરીના દિવસનાં આધારે ગણતરી કરી ગ્રેજ્યુટી મળવાનો હક અપાયો છે.

ગ્રેજ્યુટીની ગણતરીની ફોર્મ્યુલા
(છેલ્લો પગાર ) x (15/26) x (સંસ્થામાં  કેટલાં વર્ષ કામ કર્યું તેટલા વર્ષનો આંકડો) = મળવા પાત્ર  ગ્રેજ્યુટી

આ પણ વાંચોઃકોરોનાને કારણે વિશ્વભરના શ્રમજીવીઓની આવક 10.7 ટકા ઘટી, સપ્ટેમ્બર સુધીમાં 3.5 લાખ ડોલર આવક ઓછી થઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:07 pm, Fri, 25 September 20