Fact Check: શું કિસાન ક્રેડિટ કાર્ડ પર નહીં લાગે કોઈ વ્યાજ? સરકારે જણાવ્યું સત્ય

સરકારે સ્પષ્ટ કર્યું કે KCC પર વ્યાજ નહીં લેવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવતી 3 લાખ રૂપિયા સુધીની લોન પર 7 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે.

Fact Check: શું કિસાન ક્રેડિટ કાર્ડ પર નહીં લાગે કોઈ વ્યાજ? સરકારે જણાવ્યું સત્ય
File Image
| Edited By: | Updated on: Apr 06, 2022 | 2:31 PM

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે 1 એપ્રિલ, 2022થી કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. દાવામાં એવું કહેવામાં આવ્યું છે કે નવા નાણાકીય વર્ષ 2022-23ના પહેલા દિવસથી એટલે કે 1 એપ્રિલથી KCC પર વ્યાજ શૂન્ય છે. જો કે સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે. તેના પર આધાર રાખશો નહીં. ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેના ફેક્ટ ચેકમાં (PIB Fact Check) કહ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજ મુક્ત લોન આપવાનો દાવો નકલી છે.

તમને જણાવી દઈએ કે સરકારે KCC યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2.92 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે. આના પર લીધેલી 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માટે વ્યાજ દર 9 ટકા છે. પરંતુ સરકાર આમાં 2 ટકા સબસિડી આપે છે. જ્યારે મુદ્દલ રકમ અને વ્યાજ સમયસર પરત કરવા પર તે 3 ટકા વધુ ડિસ્કાઉન્ટ આપે છે.

શું કહ્યું સરકારે?

એક અખબારની નકલી તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 એપ્રિલ 2022થી કિસાન ક્રેડિટ કાર્ડ પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. ખેડૂતોને KCC પર 3 લાખ રૂપિયા સુધીના મફત પૈસા મળશે. હાલમાં ખેડૂતોને 4 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. કેન્દ્ર સરકારે 16,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ ઉઠાવવો પડશે. આ સંદેશના દાવા પર સ્પષ્ટતા આપતા સરકારે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. KCC હેઠળ વ્યાજમુક્ત લોન આપવાનો દાવો ખોટો છે.

શું છે વાયરલ મેસેજમાં?

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીને રદિયો આપે છે. જો તમને સરકાર સંબંધિત કોઈપણ સમાચાર નકલી હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઈલ નંબર અથવા socialmedia@pib.gov.in ઈમેઈલ આઈડી પર 918799711259 મોકલી શકો છો.

કેવી રીતે બનાવી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ

કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવાનો માર્ગ સરળ છે. સૌ પ્રથમ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (pmkisan.gov.in)ની વેબસાઈટ પર જાઓ. અહીં કિસાન ક્રેડિટ ફોર્મ ડાઉનલોડ કરવાનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. એક જ પેજનું છે. તેને સંપૂર્ણપણે ભરો. આધાર કાર્ડ, પાન કાર્ડની ફોટોકોપી જોડો. ફોટો મુકો, એફિડેવિટ પણ મૂકો, જેમાં લખેલું હોય કે તમે અન્ય કોઈ બેંકમાંથી લોન લીધી નથી. તે પછી તેને નજીકની બેંકમાં જમા કરાવો.

આ પણ વાંચો: અલ-કાયદાનો ખૂંખાર અને નંબર 2 આતંકવાદી અલ-ઝવાહિરી હજુ જીવતો ! ભારતના ‘હિજાબ વિવાદ’ પર ઝેર ઓક્યુ, મુસ્લિમ વિદ્યાર્થીનીની કરી પ્રશંસા

આ પણ વાંચો: Join Indian Army: ભારતીય સેનામાં ભરતી માટે ‘અગ્નિપથ’ બનશે નવો રસ્તો, અગ્નિવીર તરીકે જોડાશે યુવાનો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-