Doorstep Banking : હવે કામ માટે તમારે બેંકમાં જવાની જરૂર નથી બેંક તમારા ઘરે આવશે

|

Jan 17, 2021 | 1:03 PM

બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા જમા કરવા માટે બેંક શાખા (BANK BRANCH) અથવા ATM પર જવાની જરૂર નથી. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ(Doorstep Banking) પ્રદાન કરી રહી છે.

Doorstep Banking : હવે કામ માટે તમારે બેંકમાં જવાની જરૂર નથી બેંક તમારા ઘરે આવશે
SBI - STATE BANK OF INDIA

Follow us on

બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા જમા કરવા માટે બેંક શાખા (BANK BRANCH) અથવા ATM પર જવાની જરૂર નથી. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ(Doorstep Banking) પ્રદાન કરી રહી છે. SBI ની ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા દ્વારા તમે તમારા ખાતામાંથી ઘરે બેઠા પૈસાનો ઉપાડ અને જમા કરવા જેવા કામ કરી શકશો નહીં, પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ, લાઇફ સર્ટિફિકેટ, આવકવેરાથી સંબંધિત અન્ય ઘણા કાર્યો સરળતાથી કરી શકો છો. એસબીઆઈએ ટ્વીટ કરીને આ માહિતી જાહેર કરી છે.

કેવી રીતે મેળવશો સુવિધાનો લાભ?
જો તમારે ડોર સ્ટેપ બેંકિંગનો લાભ લેવો હોય તો આ પ્રક્રિયાને અનુસરવી પડશે
૧ તમારે બેન્કને અરજી કરવી પડશે.
૨ જરૂરી KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
3 ઘર અથવા ઓફિસથી કેશ પીકઅપ સેવા સામાન્ય બેંકિંગ સમયની અંદર જ મળશે.
૪ ચેક / ઇન્સ્ટ્રુમેન્ટ પીક અપ સુવિધા પણ લઈ શકો છો.
૫ બેંકના ટોલ ફ્રી નંબર 18001037188 અથવા 18001213721 પર કોલ સુવિધા લઈ શકો છો.

કઈ કઈ સુવિધાઓ મળશે
બેંકના જણાવ્યા અનુસાર ડોર સ્ટેપ બેંકિંગ સેવા અંતર્ગત ગ્રાહકો ઘરે કેશ પિકઅપ, કેશ ડિલીવરી, ચેક રીસીવિંગ, ડ્રાફ્ટ ડિલિવરી, ચેક એક્વિઝિશન, લાઇફ સર્ટિફિકેટ પીકઅપ, કેવાયસી ડોક્યુમેન્ટ પીકઅપ, ફોર્મ -15 પિકઅપ સહીતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

બેંકની એપ , વેબસાઇટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોર સ્ટેપ બેંકિંગ સેવા માટે નોંધણી કરાવી શકાય છે. વર્કિંગ ડે દરમ્યાન ટોલ ફ્રી નંબર 1800111103 પર સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી કોલ કરી શકાય છે. આ સેવા વિશે વધુ વિગતો માટે, તમે https://bank.sbi/dsb ની મુલાકાત લેવી જોઈએ.તમે તમારી હોમ શાખામાં પણ સંપર્ક કરી શકો છો.

કેટલો ચાર્જ લેવામાં આવશે
નાણાકીય કે નાણાંકીય સેવાઓ માટે 75 રૂપિયા ફી ચૂકવવી પડશે. કોઈપણ કામકાજના દિવસે બપોરે 3 વાગ્યા સુધીમાં રિકવેસ્ટ રજીસ્ટરના 3 કલાકની અંદર પૂર્ણ કરવામાં આવશે. બપોરે 3 વાગ્યા પછી સેવાઓના બુકિંગનું કામ બીજા દિવસે બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

 

Next Article