Gujarati NewsBusinessDgca sathe na vivas ma lufthansa e bharat ni 20 october sudhi ni flight rad kari
જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી, lufthansaએ નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ
જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી નાખી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સાથે ફ્લાઈટની સંખ્યાને લઇ ગજગ્રાહ ચાલી રહ્યો છે. કોરોના મહામારીના પગલે કોમર્શિયલ ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડાઈ છે પરંતુ lufthansa નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ છે. lufthansa એ વિવાદ મામલે નિવેદન આપ્યું […]
Follow us on
જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી નાખી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સાથે ફ્લાઈટની સંખ્યાને લઇ ગજગ્રાહ ચાલી રહ્યો છે. કોરોના મહામારીના પગલે કોમર્શિયલ ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડાઈ છે પરંતુ lufthansa નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ છે.
lufthansa એ વિવાદ મામલે નિવેદન આપ્યું છે કે, ભારત સરકાર તરફથી lufthansaની ઓક્ટોબરમાં શેડ્યૂલ ફ્લાઈટ્સને રદ કરી દેવાઈ છે, જેના કારણે 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબરની વચ્ચેની વધી ફ્લાઈટસ રદ કરવી પડશે. એરલાઇન્સ કંપનીનું નિવેદન આવતા સામે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ વિવાદને લઈ જણાવ્યું કે, કોરોના કાળમાં હાલમાં ભારતીય એરલાઈન કંપનીઓ સપ્તાહમાં 3-4 ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે, પરંતુ lufthansaએ માત્ર એક સપ્તાહમાં જ 20 ફ્લાઈટસ ઓપરેટ કરી છે. ડીજીસીએ તરફથી lufthansaને સૂચના અપાઈ છે કે, તે એક સપ્તાહમાં વધારેમાં વધારે 7 ફ્લાઈટ જ ઓપરેટ કરે પરંતુ તેના પર lufthansa તૈયાર નથી.
હાલમાં ભારતના 13 દેશો સાથે એર બબલને લઈને કરાર છે,આ કરાર કોરોનાકાળમાં રદ કરાયેલી કોમર્શિયલ સર્વિસને લઈ હંગામી સુવિધાઓ અને વ્યવસ્થા ઉભી કરવાનો છે. ભારતે એર બબલ કરાર અમેરિકા, યુકે, ફ્રાંસ, જર્મની, કનેડા, માલદીવ્સ, યુએઈ, કતર, બહરીન, નાઈઝેરીયા, ઈરાક, અફઘાનિસ્તાન અને જાપાન સાથે કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો