31 માર્ચ પહેલા આ ખાતાઓમાં મિનિમમ એમાઉન્ટ જમા કરો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

|

Mar 22, 2022 | 7:45 AM

આ યોજનાઓમાં દર વર્ષે ઓછામાં ઓછી રકમ જમા કરાવવી પડે છે. આમ કરવામાં નિષ્ફળતા આ યોજનાઓ સાથે સંકળાયેલા ખાતાઓને નિષ્ક્રિય કરે છે જેના કારણે પોલિસીધારકને વધુ રોકાણ માટે તેને નિયમિત ભરવાની જરૂર પડશે.

31 માર્ચ પહેલા આ ખાતાઓમાં મિનિમમ એમાઉન્ટ જમા કરો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે
31 માર્ચ પહેલા આ કામ નિપટાવવું જરૂરી

Follow us on

નાણાકીય વર્ષ 2021-22 પૂરા થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. હવે એ જોવું રહ્યું કે બધા મહત્તવપૂર્ણ ટેક્સ બચત(Tax Saving) અને રોકાણ (Investment)સંબંધિત તમામ પેડિંગ કામ સમયસર કરવામાં આવે. એવી સંખ્યાબંધ કર બચત યોજનાઓ છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ થાપણની જરૂર હોય છે. આ યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)નો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં દર વર્ષે ઓછામાં ઓછી રકમ જમા કરાવવી પડે છે. આમ કરવામાં નિષ્ફળતા આ યોજનાઓ સાથે સંકળાયેલા ખાતાઓને નિષ્ક્રિય કરે છે જેના કારણે પોલિસીધારકને વધુ રોકાણ માટે તેને નિયમિત ભરવાની જરૂર પડશે. તમારે એકાઉન્ટને નિયમિત કરવામાં ઘણો સમય પસાર કરવો પડી શકે છે અને સાથે જ તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. તે કિસ્સામાં, તમારા માટે નાણાકીય વર્ષ સમાપ્ત થાય તે પહેલાં આ ખાતાઓમાં ઓછામાં ઓછી રકમ જમા કરાવવી વધુ સારું રહેશે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

જો તમે 31 માર્ચ સુધીમાં તમારા PPF ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરાવવામાં સક્ષમ ન હો, તો તમને રૂ.50 નો દંડ આપવામાં આવશે. નાણાકીય વર્ષ માં PPF ખાતામાં ઓછામાં ઓછી રૂ.500/- ડિપોઝીટ જમા કરાવવી જરૂરી છે. તમે તમારા ખાતામાં જેટલા વર્ષો સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારે લેટ ફી અને ન્યૂનતમ રકમ જમા કરાવવી પડશે. તેમજ જો તમે કોઈપણ નાણાકીય વર્ષમાં રૂ. 500 જમા નહીં કરાવો તો તમારુ ખાતું નિષ્ક્રિય ખાતું ગણવામાં આવશે. નિષ્ક્રિય ખાતાને લોન અથવા ડિપોઝિટના આંશિક ઉપાડ જેવી સુવિધા મળતી નથી સિવાય કે તે તેનું એકાઉન્ટ ફરીથી સક્રિય કરે. નિષ્ક્રિય ખાતાને પાકતી તારીખ પહેલા સક્રિય કરવું પડશે. પાકતી તારીખ પછી એકાઉન્ટ એક્ટિવેટ કરી શકાતું નથી.

રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)

NPS ના ટિયર-1 ખાતા માં દરેક નાણાકીય વર્ષ માં લઘુત્તમ થાપણ રૂ.1000 જમા કરવાની હોઈ છે આ ખાતા માં થાપણ જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. ટિયર-2 ખાતાઓમાં કોઈ ન્યૂનતમ થાપણની આવશ્યકતા નથી. પણ અગર જો તમારું ટીયર-૧ ખાતું છે અને તમે ન્યૂનતમ રકમ જમા કરાવી નથી, તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. આ પછી તમારે દંડની રકમ રૂ.100. એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ભરવાના રહેશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ ખાતું ચાલુ રાખવા માટે દરેક નાણાકીય વર્ષમાં રૂ.250 ની લઘુત્તમ ડિપોઝીટ જરૂરી છે. જો મિનિમમ રકમ એકાઉન્ટ માં જમા ન થાય તો એકાઉન્ટને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે ગણવામાં આવે છે. ડિફોલ્ટ ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષની અંદર નિયમિત થઈ શકે છે. જોકે આ માટે રૂ. 50/- વાર્ષિક લઘુત્તમ રકમ સાથે દંડ ચૂકવવાની પડશે.

 

 

આ પણ વાંચો : Kam-Ni-Vaat: વહેલી તકે PANCARD સાથે AADHAARને કરી લો લિંક, 31 માર્ચ પછી નુકસાનનો કરવો પડશે સામનો

આ પણ વાંચો : MONEY9: બેન્ક FD અને આકસ્મિક ખર્ચ, કેવી રીતે કરશો સંતુલન, જુઓ આ વીડિયોમાં

Next Article