Cyrus Mistry Death: 30 અરબ ડોલરનું છે શાપૂરજી પાલોનજી ગ્રુપ, જાણો હવે કોણ સંભાળશે કમાન

|

Sep 05, 2022 | 6:52 PM

સાયરસ મિસ્ત્રી એવા પરિવારમાંથી આવે છે જે લગભગ 150 વર્ષથી ભારતમાં સફળતાના માર્ગ પર છે અને તેણે દેશની ઘણી મોટી ઈમારતો બનાવી છે, જે આજે દેશની ઓળખ બની છે.

Cyrus Mistry Death: 30 અરબ ડોલરનું છે શાપૂરજી પાલોનજી ગ્રુપ, જાણો હવે કોણ સંભાળશે કમાન
Cyrus Mistry
Image Credit source: PTI

Follow us on

સાયરસ મિસ્ત્રીના (Cyrus Mistry) આકસ્મિક અવસાનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. સામાન્ય રીતે, ટાટા ગ્રુપ (Tata Group) સાથેની કાનૂની લડાઈને કારણે મોટાભાગના લોકો સાયરસ મિસ્ત્રીને ઓળખે છે. પરંતુ સાયરસ મિસ્ત્રી એવા પરિવારમાંથી આવે છે જે લગભગ 150 વર્ષથી ભારતમાં સફળતાના માર્ગ પર છે અને તેણે દેશની ઘણી મોટી ઈમારતો બનાવી છે, જે આજે દેશની ઓળખ બની છે. આવો જાણીએ કે આ ગ્રુપ શું છે અને સાયરસ મિસ્ત્રીના ગયા પછી આ ગ્રુપ પર શું અસર પડી શકે છે.

કેટલું મોટું છે એસપી જૂથ

SP ગ્રુપની સ્થાપના સાયરસના પરદાદા દ્વારા 1865માં કરવામાં આવી હતી. સાયરસના પિતા પલોનજી મિસ્ત્રીને સમગ્ર જૂથને નવી ઊંચાઈએ લઈ જવાનો શ્રેય આપવામાં આવે છે. તેમના કારણે જ એસપી ગ્રુપ $30 બિલિયનનું ગ્રુપ બની ગયું છે. આ વર્ષે 28 જૂને પલોનજી મિસ્ત્રીનું અવસાન થયું, તેઓ 92 વર્ષના હતા. સાયરસ મિસ્ત્રી પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. તેમના મોટા પુત્ર શાપૂરજી મિસ્ત્રી હાલમાં એસપી ગ્રુપની કમાન સંભાળે છે.

રિઝર્વ બેંક હેડક્વાર્ટર, બીએસઈ ટાવર, મુંબઈની ઓબેરોય હોટેલ, ચેનાબ રેલ્વે બ્રિજ, અટલ ટનલ જેવા મોટા પ્રોજેક્ટનું બાંધકામ ગ્રુપના નામે છે. ગ્રૂપ FMCG સેક્ટરમાં હતું પરંતુ વોટર પ્યુરિફાયર્સની જાણીતી બ્રાન્ડ યુરેકા ફોર્બ્સને તેનો સમગ્ર હિસ્સો વેચીને ગ્રૂપ સેક્ટરમાંથી બહાર નીકળી ગયું હતું. જૂથનું હાલનું ધ્યાન એન્જિનિયરિંગ અને બાંધકામ પર છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સાયરસની ગેરહાજરીને કારણે જૂથ પર શું અસર પડશે

સાયરસની ગેરહાજરીને કારણે જૂથ અને પરિવારને ઘણું નુકસાન થયું છે. જો કે નેતૃત્વ જોવા માટે સાયરસ જૂથમાં શું હતું તે જાણવું પડશે. વાસ્તવમાં, SP ગ્રુપ ટાટા ગ્રુપમાં 18.6 ટકા હિસ્સો ધરાવે છે. સાયરસ મિસ્ત્રી 2012માં ટાટા ગ્રૂપના ચેરમેન બન્યા તેની સાથે સાયરસ મિસ્ત્રીએ તેમના પારિવારિક વ્યવસાયની કામગીરી છોડી દીધી. જેથી તે આ હિસ્સા સાથે ટાટા સન્સનું કામ સંભાળી શકે. બીજી બાજુ, સાયરસ દ્વારા ટાટા જૂથની કમાન સંભાળવાની સાથે, એસપી જૂથની સંપૂર્ણ જવાબદારી સાયરસના મોટા ભાઈ શાપૂરજી મિસ્ત્રી પર આવી ગઈ.

તે જ સમયે, સાયરસ ટાટા ગ્રુપમાં 18.6 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2019માં એસપી ગ્રુપના મેનેજમેન્ટમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમાં શાપૂરજીના પુત્રને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. સાથે જ દીકરીને CSRની જવાબદારી સોંપવામાં આવી. બીજી તરફ સાયરસ મિસ્ત્રી પોતાની પાછળ પત્ની અને બે પુત્રો છોડી ગયા છે. તે માત્ર અનુમાન કરી શકાય છે કે કદાચ આ પુત્રોમાંથી એક ફરી એકવાર ટાટા જૂથની બાગડોર સંભાળવા માટે આગળ વધશે.

Next Article