China: ચીને હાલમાં જ એક નવો જાસૂસી વિરોધી કાયદો લાગુ કર્યો છે. આ કાયદાના અમલથી વિદેશી કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. ચીનનું કહેવું છે કે આ નવા કાયદાથી તે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરશે. જણાવી દઈએ કે, ચીનની સરકાર વર્ષ 2014માં આ કાયદો લાવી હતી. જોકે હવે તેનો અમલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમેરિકા સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન!, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ જણાવ્યો સૌથી મોટો ખતરો
જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી વિદેશી કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ કાયદાથી ચીનને હવે જાસૂસો પર નજર રાખવાની પરવાનગી મળી ગઈ છે. કાયદા અનુસાર, ચીન જાસૂસીની શંકાથી સંબંધિત કોઈપણ દસ્તાવેજો, ડેટા, સામગ્રી અને લેખોની તપાસ કરી શકે છે.
નવા જાસૂસી કાયદાથી ચીન જાસૂસો પર કડક નજર રાખશે. બીજી તરફ જો તેને કોઈ શંકા હોય તો તે તેની સાથે જોડાયેલી બાબતોની પણ તપાસ કરી શકે છે. આ કારણે ચીનમાં કારોબાર કરતી લાખો કંપનીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેનો વિરોધ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે અમેરિકા અને ચીન વચ્ચે પહેલેથી જ તણાવનું વાતાવરણ ચાલી રહ્યું છે. જેના કારણે વાતાવરણ પણ ખરાબ છે. હવે આ કાયદો લાગુ થવાથી બિઝનેસ કરવા માટેનું વાતાવરણ પણ બગડશે.
ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં કાયદાના અમલને કારણે વિદેશી કંપનીઓ માટે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. આની સીધી અસર ચીનની અર્થવ્યવસ્થા પર પડશે અને ઘણી કંપનીઓ અન્ય દેશોમાં શિફ્ટ થવા લાગશે. એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જેન્સ એસ્કેલન્ડે કહ્યું કે આપણે બીજું શું પાલન કરવાનું છે, સ્ટેટનું સીક્રેટ શું છે, આપણી પાસે કંઈ માહિતી ન હોવી જોઈએ? આ બધી બાબતો અમારે જાણવી જોઈએ.
મહત્વનું છે કે હાલ ચાઈનાથી અનેક કંપનીઓ ભારત તરફ જોઈ રહી છે અને આ કાયદાથી ભારતને પણ ફાયદો થઈ શકે તેવું અનુમાન છે.
Published On - 5:07 pm, Mon, 3 July 23