Patanjali Research Foundation Trust અંગે CBDT બહાર પાડયું આ અગત્યનું જાહેરનામું, જાણો શું છે મામલો

|

Jul 16, 2021 | 7:06 AM

બાબા રામદેવ(BABA RAMDEV)ની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે તેની સહયોગી કંપની રૂચી સોયાના FPO ની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમને Patanjali IPO લાવીશું

Patanjali Research Foundation Trust અંગે CBDT બહાર પાડયું  આ અગત્યનું જાહેરનામું, જાણો શું છે મામલો
BABA RAMDEV

Follow us on

કેન્દ્ર સરકારે યોગગુરુ બાબા રામદેવ(BABA RAMDEV)ના હરિદ્વાર સ્થિત પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ(Patanjali Research Foundation Trust) ને ‘રિસર્ચ એસોસિએશન'(Research Association) નો દરજ્જો આપ્યો છે. હવે આ સંસ્થાને દાન કરવા પર દાતા ટેક્સમાં છૂટ મેળવી શકશે. આવકવેરા વિભાગ સાથે જોડાયેલા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે.

આ નોટિફિકેશન વર્ષ 2021-222 થી 2026-27 ના વર્ષ દરમિયાન કરવામાં આવેલા દાન માટે લાગુ પડશે અને એક દાતા તે જ સમયગાળા માટે ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. આનો અર્થ એ છે કે દાતા તેની કરપાત્ર આવકમાંથી દાનની સમાન રકમ કપાત લઈ શકે છે. આનથી દાતાની કરપાત્ર આવક ઘટશે.

દાન પર 5 વર્ષ માટે કર મુક્તિ
સીબીડીટીએ એક જાહેરનામું બહાર પાડતાં જણાવ્યું હતું કે ‘આવકવેરા 1961 ની કલમ 35 ની પેટા કલમ (1) ની કલમ (ii) હેઠળ વૈજ્ઞાનિક સંશોધન માટે’ રિસર્ચ એસોસિએશન ‘કેટેગરી હેઠળ કેન્દ્ર સરકારે મેસર્સ પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હરિદ્વારને મંજૂરી મળી છે. તે સત્તાવાર ગેઝેટના પ્રકાશનની તારીખથી લાગુ થશે અને આકારણી વર્ષ 2022-23 થી 2027-28 સુધી લાગુ રહેશે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

ટૂંક સમયમાં આવશે Patanjali IPO
આ દરમિયાન બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે તેની સહયોગી કંપની રૂચી સોયાના FPO ની જાહેરાત કરી છે. એટલું જ નહીં પતંજલિ એફએમસીજી સેક્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) જેવી કંપનીઓને પણ પાછળ પાડવા તૈયારી બતાવી છે. પતંજલિના વધતા જતા વેપાર પર બાબા રામદેવે કહ્યું કે અમે 2025 સુધીમાં HULને પાછળ છોડી દેવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમને Patanjali IPO લાવીશું

Next Article