અદાણી ગ્રુપે LICને આપ્યો મોટો ઝટકો, કંપનીઓમાં રોકાણ થયા નેગેટિવ

મીડિયા રિપોર્ટ અનુસાર, 22 ફેબ્રુઆરીના રોજ માર્કેટ ક્લોઝિંગના સમયે અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC)નું રોકાણનું વેલ્યૂ 33,632 કરોડ રુપિયા હતી. તે એક્સચેન્જેજ પર ઉપલબ્ધ ડિસેમ્બર શેયરહોલ્ડિંગ પેટર્ન અનુસાર છે.

અદાણી ગ્રુપે LICને આપ્યો મોટો ઝટકો, કંપનીઓમાં રોકાણ થયા નેગેટિવ
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:37 AM

ભારતમાં છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટ અને બિઝનેસથી જોદાયેલા મુદ્દાઓ પર ભારે ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને અદાણી ગ્રુપની દરેક ગતિવિધી પર લોકોની નજર રહે છે. દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)માં અદાણી ગ્રુપની કંપનીઓમાં કરવામાં આવતું રોકાણ નેગેટિવ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 22 ફેબ્રુઆરીના રોજ માર્કેટ ક્લોઝિંગના સમયે અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC)નું રોકાણનું વેલ્યૂ 33,632 કરોડ રુપિયા હતી. તે એક્સચેન્જેજ પર ઉપલબ્ધ ડિસેમ્બર શેયરહોલ્ડિંગ પેટર્ન અનુસાર છે.

કેટલી કંપનીઓની નિવેશની વેલ્યૂ છે ?

27 જાન્યુઆરીના રોજ એલઆઈસીએ ખુલાસો કર્યો હતો કે તેના રોકાણની વેલ્યૂ 56,142 કરોડ રુપિયા પર છે. જો આ વેલ્યૂને ડિસેમ્બરના શેયરહોલ્ડિંગ પેટર્ન અનુસાર કેલક્યુલેટ કરવામાં આવે તો તે 62,550 કરોડ રુપિયા થાય છે. તેમાં 6,408 કરોડ રુપિયા એટલે કે 10 ટકાથી થોડું વધારે અંતર છે. આ બધા વચ્ચે સવાલ થઈ રહ્યાં છે કે એલઆઈસીમાં અદાણી ગ્રુપના શેર 1 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી વચ્ચે 6,400 કરોડ રુપિયા કે પોતાની હોલ્ડિગથી 10 ટકા થોડા વધારે વેંચી દીધા હતા. ડિસેમ્બરના શેરહોલ્ડિંગ પેટર્નને જોતા, એલઆઈસીની અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ વેલ્યૂ 22 ફેબ્રુઆરીએે બંધ થતા સમયે 33,632 કરોડ રુપિયા હતી.

એલઆઈસીએ કોઈ નિવેદન આપ્યું નથી

એલઆઈસીની અદાણી ગ્રુપની કંપનીઓમાં 10 ટકા હિસ્સો વેચ્યા પછી પણ. અને તેને 22 ફેબ્રુઆરીના રોકાણ મૂલ્ય સાથે સમાયોજિત કરો તો સુધારેલ બજાર મૂલ્ય  30,221 કરોડ થશે. જો કે એલઆઈસીએ આ સમાચાર પર તેના તરફથી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આજના ઘટાડા સાથે એલઆઈસીના રોકાણના મૂલ્યમાં  500 કરોડનો વધુ ઘટાડો થયો છે, જેના કારણે વીમા કંપનીને રોકાણ પર નુકસાન થયું છે. 24 જાન્યુઆરીના રોજ, યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર તેનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં શેરબજારમાં છેતરપિંડી અને હેરાફેરીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારથી, અદાણીની આગેવાની હેઠળના જૂથના માર્કેટ કેપમાં 12 લાખ કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તેનો સ્ટોક તેના સર્વોચ્ચ સ્તરથી 60 ટકાથી વધુ ઘટી ગયો છે.

3 દિવસમાં મિલકતમાં ઝડપથી ઘટાડો થયો

ગૌતમ અદાણીની સંપત્તિ વિશે વાત કરીએ તો, સોમવારે, અદાણીની નેટવર્થ ઘણા વર્ષોમાં પ્રથમ વખત $50 બિલિયનથી નીચે આવી ગઈ, જે ફોર્બ્સ અને બ્લૂમબર્ગની રીઅલ-ટાઇમ અબજોપતિઓની યાદીમાં વિશ્વના પચીસમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે રેન્કિંગ હતી. આપવામાં આવ્યું છે, જે હવે 29માં સ્થાને આવી ગયું છે.

 

Follow Us