Budget 2022: બજેટમાં Railway ને લઈ નાણાં મંત્રી મોટી જાહેરાત કરી શકે છે, Railtel ના IRCTC માં મર્જરના મળી રહ્યા છે સંકેત

|

Jan 21, 2022 | 6:45 AM

બજેટમાં રેલવે ખર્ચમાં 15 ટકાનો વધારો કરી શકે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 10 નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી શકે છે.

Budget 2022: બજેટમાં Railway ને લઈ નાણાં મંત્રી મોટી જાહેરાત કરી શકે છે, Railtel ના IRCTC માં મર્જરના મળી રહ્યા છે સંકેત

Follow us on

Budget 2022: 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ હશે. આગામી બજેટ અંગે તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે. રેલ્વેને લઈને પણ બજેટમાં ઘણી મોટી જાહેરાતો થવાની આશા છે. હવે રેલ્વે બજેટ સામાન્ય બજેટથી અલગ રજૂ કરવામાં આવતું નથી. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા રેલવેને લગતી જાહેરાતો કરવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આગામી બજેટમાં સરકારી રેલ્વે પીએસયુ(RAIL PSU)ના વિલીનીકરણની જાહેરાત થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મર્જર આર્થિક સલાહકારની ભલામણ પર આધારિત હોઈ શકે છે.

આ ભલામણ આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે કરી હતી

રિપોર્ટ અનુસાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં રેલવેના મર્જરને લઈને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંતર્ગત RVNL નું Ircon સાથે મર્જરની જાહેરાત કરી શકે છે અને Railtel નું IRCTC સાથે મર્જરની જાહેરાત કરી શકે છે. આ ચાર કંપનીઓનું બે માં મર્જ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે સરકારને સરકારી સંસ્થાઓને તર્કસંગત બનાવવાની ભલામણ કરી હતી. તેમણે આ રિપોર્ટમાં ભલામણ કરી હતી કે રેલવેના PSUને મર્જ કરવાથી ઘણો ફાયદો થશે.

અહેવાલમાં જણાવાયું છે કે આ પગલાથી આ કંપનીઓની કાર્યશૈલીમાં સુધારો થશે અને તેમના મૂલ્યાંકનમાં સુધારો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતના બજેટમાં મુખ્ય આર્થિક સલાહકારની આ ભલામણોને લીલી ઝંડી આપે તેવી પ્રબળ સંભાવના છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રેલવે સંબંધિત આ જાહેરાત પણ શક્ય છે

સાથે જ એક રિપોર્ટ અનુસાર સરકાર બજેટમાં રેલવે ખર્ચમાં 15 ટકાનો વધારો કરી શકે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 10 નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે આ તમામ 10 ટ્રેનોને વંદે ભારત રેક સાથે પાટા પરથી ઉતારી શકે છે. આ સિવાય હાઈ સ્પીડ રેલ નેટવર્કને લઈને આ બજેટમાં મોટી જાહેરાતો થઈ શકે છે કારણ કે સરકારનું આ બાબત પર વિશેષ ધ્યાન છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે સરકાર પોતાની ટ્રેનોમાં મોટા ફેરફારની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાંબા અંતરની ટ્રેનોમાં વજન ઘટાડવા માટે એલ્યુમિનિયમના ડબ્બાઓ લગાવી શકાય છે. તેનાથી ટ્રેનોની સ્પીડમાં વધારો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એલ્યુમિનિયમ કોચવાળી ટ્રેનો માત્ર એવા રૂટ પર જ દોડશે જે ઇલેક્ટ્રિફાઇડ હોય અને ડબલ લાઇન હોય.

 

આ પણ વાંચો : ઘર ખરીદવાના સમયે HOME LOAN માટે આપવામાં આવતા PRE EMI અને FULL EMI વિકલ્પ શું છે? જાણો વિગતવાર

આ પણ વાંચો : SEBI એ IPO સંબંધિત નિયમોમાં કર્યા ફેરફાર, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર? જાણો અહેવાલ દ્વારા

Next Article