Budget 2022-23: આગામી બજેટ 2022-23ના સંબંધમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman ) આજે બુધવારે અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ અંગે ચર્ચા કરશે. બેઠક દરમિયાન કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને વેગ આપવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવશે. અર્થશાસ્ત્રીઓ સાથે કેન્દ્રીય નાણાં પ્રધાનની ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેઓ બજેટ બનાવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
CII ના પ્રમુખ ટીવી નરેન્દ્રને આ ચર્ચા વિશે કહ્યું કે સરકારે મૂડી ખર્ચ વધારવાનું માધ્યમ ચાલુ રાખવું જોઈએ. અર્થવ્યવસ્થાને વેગ આપવાનાં પગલાં વિશે વિચારવું જોઈએ અને તેના વિશે વાત કરવી જોઈએ.
1 ફેબ્રુઆરી 2022ના રોજ બજેટ રજૂ કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 એપ્રિલ 2022 થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે 1 ફેબ્રુઆરી 2022 ના રોજ આગામી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વધુ આકર્ષક રોકાણ સ્થળ બનાવવા માટે જરૂરી સુધારા અંગે સૂચનો મેળવવા અગ્રણી ખાનગી ઇક્વિટી/વેન્ચર કેપિટલ પ્લેયર્સ અને કંપનીઓના CEO ને મળ્યા છે. આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પગલાંની જરૂર છે.
પીએમ મોદીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓને આ વાત કહી
બજેટ પહેલા વડાપ્રધાન મોદીએ ઇન્ડસ્ટ્રી લીડર્સનો તેમના ઇનપુટ્સ અને સૂચનો માટે આભાર માન્યો હતો. તે જ સમયે તેમણે PLI પ્રોત્સાહનો જેવી નીતિઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે જે રીતે દેશ ઓલિમ્પિકમાં પોડિયમ પૂર્ણ કરવા માંગે છે તે જ રીતે દેશ પણ આપણા ઉદ્યોગોને દરેક ક્ષેત્રમાં વિશ્વના ટોચના ૫ ક્રમની યાદીમાં જોવા માંગે છે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : ચિંતાના સમાચાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઉછાળાથી શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે?
Published On - 10:00 am, Wed, 22 December 21